IPL આવે એટલે ભારતના દરેક ઘરમાં સિરીયલ અને મૂવીઝની ચૅનલોની TRP ઘટી જાય છે. દરેક ઘરમાં IPL જ જોવાતી હોય છે.
IPL 2021માં ધોનીને થશે મોટુ નુકસાન
CSKની ટીમના બે ખેલાડી નહી રમે
બીજા ચરણમાં CSKને નુકસાન
IPLનો ક્રેઝ જેટલો છે તેટલા જ પ્રમાણમાં વિવાદ, ફન, કિસ્સાઓ જોવા મળે છે. લોકો IPL જોવા આવેલી ઓડિયન્સને પણ નોટીસ કરતા હોય છે. સૌથી ખુશીની વાત છે કે કેપ્ટન કૂલ મહેન્દ્ર સિંહ ધોની રિટાયર થયા બાદ IPLમાં રમે છે અને તેમને જોવા માટે લોકો CSKની એક પણ મેચ મિસ કરતા નથી.
IPL 2021 બાકી રહેલી મૅચ UAEમાં રમાવાની છે પરંતુ બીજા ચરણમાં ઇંગ્લેન્ડના આ દિગ્ગજ ખેલાડીઓ હિસ્સો નહી લઇ શકે. ધોની માટે આ સૌથી મોટો ઝટકો હશે.
ચેન્નઇના 2 ખેલાડીઓ નહી રમી શકે
ચેન્નઇ સુપર કિંગ્ઝના બે મહત્વના ખેલાડી કે જે ઇંગ્લિશ છે અને ટીમને સંતુલન આપે છે. સેમ કર્રન અને મોઇન અલી બીજા ચરણમાં નહી રમી શકે. તે સૌથી મહત્વના ખેલાડી છે અને ચેન્નઇની જીતમાં સૌથી મોટો ફાળો હોય છે. હવે તે બંને ક્રિકેટર નહી રમી શકે તો ધોનીને સૌથી મોટુ નુકસાન થશે.
UAEમાં રમાશે IPLની બાકી રહેલી મૅચ
IPL 2021ને જ્યારથી સ્થગિત કરવામાં આવી ત્યારથી ક્રિકેટ રસિકોમાં દુઃખની લાગણી છવાઇ ગઇ હતી પરંતુ હવે તેમના માટે સારા સમાચાર આવ્યા છે.
IPL 2021ની બાકી રહેલી મૅચ રમાડવા માટે ઘણા દેશોએ ઑફર કરી હતી પરંતુ હવે ફાઇનલી બાકીની મૅચો જોઇ શકાશે. UAEમાં બાકી રહેલી IPLની મૅચ રમાશે.
અત્યાર સુધી આ વાતને લોકો અફવા માની રહ્યાં હતા પરંતુ BCCIએ મોહર લગાવી દીધી છે કે IPL2021ની બાકી રહેલી મૅચ UAEમાં જ રમાશે.