IPL 2018 ની હરાજી પહેલા તમામ ટીમોએ પોત-પોતાના પ્લેયર્સને રિટેન કરી લીધા છે. IPLની હરાજી 27-28 જાન્યુઆરીના થશે. મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વખત ચેન્નાઇ સુપરકિંગ્સની જર્સીમાં જોવા મળશેજ્યારે વિરાટ કોહલી આ સિઝનમાં પણ રોયલ ચેલેન્જર બેંગ્લુરૂની ટીમમાંથી રમતો જોવા મળશે. મુંબઇ ઇન્ડિયન્સે IPLના સૌથી સફળ કેપ્ટન રોહિત શર્માને રિટેન કરી લીધો છે. ઑસ્ટ્રેલિયાઇટ ક્રિકેટ ટીમના કેપ્ટન સ્ટીવ સ્મિથને રાજસ્થાન રૉયલ્સે રિટેન કર્યો છેજ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે ડેવિડ વૉર્નર અને ભુવનેશ્વર કુમારને રિટેન કર્યા છે.
કોલકાતા નાઇટ રાઇડર્સની લાસ્ટ સિઝન સુધી કેપ્ટન્સી કરનાર ગૌતમ ગંભીરને ટીમમાં રિટેન કર્યો નથી અને તે હવે હરાજીમાં શામેલ થશે. KKRએ આંદ્રે રસેલ અને સુનીલ નરેનને રિટેન કર્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબે અક્ષર પટેલ જ્યારે દિલ્હી ડેયરડેવિલ્સે રિષભ પંતશ્રેયસ અય્યર અને ક્રિસ મૉરિસને રિટેન કર્યા છે. ચેન્નાઇમુંબઇદિલ્હી અને બેંગ્લુરૂએ 3-3 પ્લેયર્સને રિટેન કર્યા છે. ટીમમાં રિટેન કરેલા પ્લેયર્સની લિસ્ટ કંઇક આ રીતે છે