Bageshwar Baba Himmatnagar News: બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સાબરકાંઠામાં હિંમતનગરની ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે, સ્થાનિક 5000થી વધારે લોકોને રોજગાર પણ મળશે
ધીરેન્દ્ર શાસ્ત્રી હિંમતનગરની મુલાકાતે
હિંમતનગરની ખાનગી ફેક્ટરીનું કરશે ઉદ્ઘાટન
5000થી વધારે લોકોને રોજગાર મળશે
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી હાલ ગુજરાતના પ્રવાસે છે. હાલનો માહોલ જોઈએ તો બાબા બાગેશ્વર દ્વારા સમગ્ર ગુજરાતમાં પ્રચારની કવાયત શરૂ કરાઇ હોય તેમ પહેલા દક્ષિણ ગુજરાતમાં સુરતમાં દિવ્ય દરબાર યોજાયો હતો. જે બાદમાં મધ્યગુજરાતમાં અમદાવાદ અને બાદમાં સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે દિવ્ય દરબાર અને હવે ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ તેઓ પ્રવાસે જવાના હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ ધીરેન્દ્ર શાસ્ત્રી હિંમતનગરની ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાના છે.
ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રવાસ નક્કી થયો છે. વાત જાણે એમ છે કે, બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી સાબરકાંઠામાં હિંમતનગરની ખાનગી ફેક્ટરીનું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે ત્યાનાં સ્થાનિક 5000થી વધારે લોકોને રોજગાર પણ મળશે. વિગતો મુજબ ઇસ્કોન બાલાજી ગ્રુપની ફેક્ટરીનું બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ઉદ્ઘાટન કરશે.
ઇસ્કોન બાલાજી ગ્રુપની ફેક્ટરીનું કરશે ઉદ્ઘાટન
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ઇસ્કોન બાલાજી ગ્રુપની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવાના છે. ઉદ્ઘાટન પ્રસંગે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી બેઠક પણ કરશે. આ સાથે સમગ્ર ફેક્ટરીની મુલાકાત પણ તેઓ કરવાના છે. આ તરફ હવે બાબા બાગેશ્વરનાં પ્રવાસને લઈ સમગ્ર ફેક્ટરીના કર્મચારીઓ કામે લાગ્યા છે. આ સાથે હવે સુરક્ષાના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવામાં આવ્યો છે.
અમદાવાદમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર
અમદાવાદમાં આજે બાબા બાગેશ્વર તરીકે ઓળખાતા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારનું આયોજન કરાયું છે. અમદાવાદના વટવા ખાતે આવેલા શ્રી રામ મેદાનમાં બાબાના દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામ મેદાનમાં આજે સાંજે 5:00થી 7:00 વાગ્યા સુધી ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય ભરાશે. બાબાના દરબારને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, અમદાવાદના ઓગણજ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો 29 મેના રોજ દરબાર યોજવાનો હતો, જે વરસાદના કારણે સમગ્ર કાર્યક્રમ રદ કરવાની ફરજ પડી છે.
ગઈકાલે કેન્સલ થયો હતો કાર્યક્રમ
બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છેલ્લા 4-5 દિવસથી ગુજરાતની મુલાકાતે આવ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદ, સુરત સહિતના જુદા જુદા સ્થળોએ દરબાર યોજી રહ્યા છે. ત્યારે ગઈકાલે વરસાદ વેરી બનતા અમદાવાદમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ કેન્સલ કરવાની નોબત આવી હતી. અમદાવાદના ઓગણજ ખાતે 29 અને 30 મેના રોજ બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાવાનો હતો પરંતુ કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતા 29 મેનો કાર્યક્રમ રદ્દ કરાયો હતો.
વરસાદના કારણે કાર્યક્રમ સ્થળે ભરાયું હતું પાણી
અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારના સ્થળને લઈને આયોજકો અસમંજસમાં હતા. બાદમાં આયોજકોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ઓગણજ પાસે યોજાવાનો આયોજન કર્યું હતું. પ્રમુખ સ્વામી મહોત્સવ જે સ્થળે યોજાયો હતો તે જ સ્થળે ધીરેન્દ્ર શાસ્ત્રીને દિવ્ય દરબાર માટે જગ્યા ફાળવવામાં આવી હતી. જે બાદ ભારે વરસાદ વિલન બનતા કાર્યક્રમ સ્થળ પર પાણી ભરાઈ જતાં ઓગણજ ખાતે કાર્યક્રમ રદ કરાયો હતો. જે બાદ હવે કાર્યક્રમનું સ્થળ બદલીને વટવા રાખવામાં આવ્યું છે.
રાજકોટમાં પણ ભરાશે દિવ્ય દરબાર
રાજકોટ ખાતે પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર ભરાશે. રાજકોટમાં 1 અને 2 જૂનના રોજ રેસકોર્સ મેદાન ખાતે દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાગેશ્વર ધામ સેવા સમિતિ, રાજકોટ તરફથી આ દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવી રહ્યું છે.