રાજકોટમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. આ દરમિયાન પ્રવચનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું હતું કે મારે કોઈ પાર્ટી સાથે મારે મતલબ નથી.રાજનેતાઓને પણ કહું છું પાર્ટી માટે મદદ માંગવા ન આવવું! આવવું હોઈ તો બાબા બાગેશ્વરના દર્શન માટે આવજો.
હિન્દુ રાષ્ટ્ર માટે અને સંતોના રક્ષણ માટે મરી મિટવા પણ તૈયાર : બાબા
બાગેશ્વરધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે રાજકોટની મુલાકાતે છે. ત્યારે BAPS સ્વામિનારાયણ મંદિરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ દર્શન કર્યા હતા. સ્વામિનારાયણ મંદિરમાં હાજર સંતોએ ધીરેન્દ્ર શાસ્ત્રીનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કર્યું હતું. પત્રકાર પરિષદ પણ યોજી હતી. ત્યારબાદ સાંજે રેસકોર્ષના મેદાનમાં ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાયો હતો. જેમાં મોટી સંખ્યા લોકો જોડાયા હતા.
બાબા બાગેશ્વર દ્વારા ક્રાંતિ મંત્ર આપવામાં આવ્યો
આ દરમિયાન બાબાએ પ્રવચન આપતા કહ્યું હતું કે બપોરે 2 થી 5 રાજકોટમાં શ્વાન પણ બહાર નીકળતું નથી. મને રાજકોટ ગમી ગયું છે. વધુમાં જીવવું કેમ? તે દુનિયાએ રાજકોટવાસીઓ પાસેથી શીખવું જોઈએ. બાબાએ દિવ્ય દરબાર ખાતે નારો આપી હુંકાર કર્યો કે ખૂન હમારા ગરમ હૈ ક્યોંકિ હમ ગરમ હૈ પાગલો તમને ગર્વ થવો જોઈએ કે તમે હિન્દુ છો. તમે સનાતની છો.તેઓએ કહ્યું કે સનાતનીઓએ એક થવું પડશે. એક, બે દિવસ માટે નહિ પરંતુ કાયમી માટે એક થવું પડશે ત્યારે હિન્દુ રાષ્ટ્ર બનશે અને શાંતિ મંત્રની જગ્યાએ બાબા બાગેશ્વર દ્વારા ક્રાંતિ મંત્ર આપવામાં આવ્યો હતો.
તમારી પાસે સંકટ છે. તો મારા બાલાજી સંકટ મોચન છે
તેઓએ કહ્યું કે મારે કોઈ પાર્ટી સાથે મતલબ નથી. વધુમાં રાજનેતાઓને પણ કહું હતું કે પાર્ટી માટે મદદ માંગવા આવવું નહિ! જો આવવું હોઈ તો બાબા બાગેશ્વરના દર્શન માટે આવજો. મારી માએ મને કહ્યું તને ડર નથી લાગતો. મે કહ્યું માં હિન્દુ રાષ્ટ્ર માટે અને સંતોના રક્ષણ માટે મરી મિટવા પણ તૈયાર છું. તેમ પણ કહ્યું હતું.ન હું દાન લેવા આવ્યો છું. ન હું માન મેળવવા આવ્યો છું. હું માત્ર તમારા સૌમાં હનુમાનજી માટે ભાવ જગાવવા આવ્યો છું. જો તમારી પાસે સંકટ છે. તો મારા બાલાજી સંકટ મોચન છે. તેમ કહું જણાવ્યું કે આખી દુનિયા અત્યારે એજ વિચારી રહી છે. કે કઈ રીતે દિવ્ય દરબારમાં આ બધું શક્ય થઈ રહ્યું છે. પાવરફુલ હું નહી બાલાજી દાદા છે. તેમ અંતમાં કહ્યું હતું.