Dhirendra Shastri News: બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી સુરત આવી રહ્યા છે. જેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ફરી સુરત આવી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી
લગ્ન સમારોહ આપશે હાજરી, ઉધનામાં યોજાશે ધર્મસંવાદ
બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતની તૈયારીઓ શરુ
અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં તાજેતરમાં જ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર યોજાયા હતા. જે બાદ હવે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી ગુજરાતમાં આવી રહ્યા છે. આગામી 10 અને 11 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવી રહ્યા છે. જેને લઈને તેમના ભક્તોમાં ખુશીનો માહોલ છે.
જગતગુરુ રામભદ્રાચાર્યજી પણ આવશે સુરત
મળતી માહિતી અનુસાર, આગામી 10 અને 11 જૂનના રોજ ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવશે. સુરત ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રી લગ્ન સમારોહમાં હાજરી આપશે. ધીરેન્દ્ર શાસ્ત્રીની સાથે તેમના ગુરુ પણ સુરત આવશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્યનો સુરતના ઉધના વિસ્તારમાં આવેલા તેરાપદ ભવન ખાતે ધર્મસંવાદ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્ય સંબોધન કરશે. ધીરેન્દ્ર શાસ્ત્રીના સ્વાગતને લઇને તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ખાસ કરીને સિક્યોરિટી માટેની પણ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.
ફરી સુરત આવી રહ્યા છે ધીરેન્દ્ર શાસ્ત્રી
- ધીરેન્દ્ર શાસ્ત્રી ફરી એક વખત સુરત આવશે
- આગામી 10 અને 11 જૂનના ફરી સુરત આવશે
- એરપોર્ટથી અનુવ્રતદ્વાર સુધી શોભાયાત્રાનું ભવ્ય આયોજન
- લગ્ન સમારોહમાં હાજરી આપવા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરત આવશે
- ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુરુ પણ સુરત આવશે
- ઉધનામાં ધર્મસંવાદ કાર્યક્રમ પણ યોજાશે
- કાર્યક્રમમાં જગદગુરુ રામભદ્રાચાર્ય સંબોધન કરશે