છિંદવાડાના ડૉ. પ્રકાશ ટાટાએ ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપતા કહ્યું કે જો તેઓ મારા મનમાં શું છે કે કહેશે તો ગુ તેને 1 કરોડ રૂપિયાનો ચેક આપીશ.
બાગેશ્વર ધામના બાબાને વધુ એક ખુલ્લી ચેલેન્જ
મનની વાત જાણી લીધી તો હું એક કરોડનો ચેક આપીશ
જો વાત ન જાણી શક્યા તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ 11 લાખ ચૂકવવા પડશે
ભારતને હિંદુ રાષ્ટ્ર બનાવવા અને રામચરિતમાનસને ભારતનો રાષ્ટ્રીય ધર્મગ્રંથ જાહેર કરવા જેવા નિવેદનોને કારણે માત્ર ત્રણ મહિનામાં જ ચર્ચામાં આવેલા બાગેશ્વર ધામના પીઠાધીશ્વર પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર સમાચારોમાં છે. જો કે આ વખતે ન્યૂઝમાં આવવાનું કારણ કઇંક અલગ છે. આ વખતે ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબારમાં ભક્તોના મનની વાત લખી રાખવાને કારણે નહીં પણ તેમની સામે છિંદવાડાના આયુર્વેદાચાર્ય દ્વારા આપવામાં આવેલ ચેલેન્જને કારણે ચર્ચામાં આવ્યા છે
મારા મનની વાત જાણી લીધી તો હું એક કરોડનો ચેક આપીશ
વાત એમ છે કે છિંદવાડાના ડૉ. પ્રકાશ ટાટાના કહેવા પ્રમાણે એમને ટીવી અને સોશિયલ મીડિયા દ્વારા જોયું છે કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમના મંચ પરથી ભૂત-પ્રેત-જીનને ભગાડે છે જે એમના મત મુજબ બસ અંધશ્રદ્ધા છે અને ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી લોકોની અંગત વાતઓ પણ જાહેર કરે છે જે ખૂબ જ ખોટું છે. એટલા માટે એમને ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપતા કહ્યું કે જો તેઓ મારા મનમાં શું છે કે કહેશે તો ગુ તેને 1 કરોડ રૂપિયાનો ચેક આપીશ.
જો વાત ન જાણી શક્યા તો ધીરેન્દ્ર શાસ્ત્રીએ 11 લાખ ચૂકવવા પડશે
મધ્યપ્રદેશના છિંદવાડાના રહેવાસી આયુર્વેદચાર્ય પ્રકાશ ટાટાએ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને પડકાર ફેંક્યો છે. પ્રકાશ ટાટાનું કહેવું છે કે તેમનો ઉદ્દેશ્ય ભારતમાં ફેલાઈ રહેલી અંધશ્રદ્ધાને દૂર કરવાનો છે. જો પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને સિદ્ધિ હોય તો હું મારા મનની વાત એક પત્રમાં લખીશ અને તેઓ પણ પત્રમાં મારા મનની એ જ વાત લખશે. એ બાદ મારો પત્ર અને તેમનો પત્ર કોમ્પ્યુટર દ્વારા સ્કેન કરવામાં આવે અને જો તે બરાબર હશે તો હું ધીરેન્દ્ર શાસ્ત્રીને એક કરોડ રૂપિયા દક્ષિણા આપીશ. પણ જો આમ ન થાય તો તેણે મને માત્ર 11 લાખ રૂપિયા જ આપવા પડશે અને જો એ રકમ મળશે તો એ હું નાસિક નજીક હનુમાનજીના જન્મસ્થળ પર રોડ બનાવવા માટે મુખ્યમંત્રી ફંડમાં આપીશ.
આ પહેલા શ્યામ માનવે પણ આપી હતી ચેલેન્જ
બાગેશ્વર ધામ સરકાર કહેવાતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને ખુલ્લો પડકાર મળ્યો હોય તેવું આ પહેલીવાર નથી. આ પહેલા 40 વર્ષથી નાગપુરમાં કાર્યરત અખિલ ભારતીય અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીને 30 લાખ રૂપિયાની ચેલેન્જ આપી હતી. એ સમયે શ્યામ માનવે કહ્યું હતું કે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ભગવાનના દરબારમાં ભક્તોના નામ અને નંબર દ્વારા વસ્તુઓ કહેવાનો દાવો કરે છે. અમારી કમિટી તેના 10 લોકોને ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે લઈ આવશે અને એમને તેમના અંતર્જ્ઞાનથી તેમનું નામ, નંબર, ઉંમર અને પિતાનું નામ જણાવવાનું હતું. સાથે જ 10 વસ્તુઓને અલગ રૂમમાં રાખવા પરથી 10 વસ્તુઓની ઓળખ કરવાની હતી.
શ્યામ માનવના કહેવા પ્રમાણે, જો ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ 90 ટકા વાત સાચી કહી હોત તો સમિતિએ તેમને 30 લાખ રૂપિયાનું ઇનામ આપ્યું હોત. આ માટે તેણે 3 લાખ જમા કરાવવાના હતા. શ્યામ માનવના કહેવા પ્રમાણે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તેમનો પડકાર સ્વીકાર્યો ન હતો અને કાર્યક્રમ છોડીને નાગપુર ચાલ્યા ગયા હતા.