રાજકોટઃ જસદણ પેટા ચૂંટણી વિધાનસભા ચૂંટણી પહેલા અનેક તર્કવિતર્ક ચાલુ થયા છે. કુંવરજી બાવળીયા-ભોળા ગોહીલ વચ્ચે બેઠક થયાનું સામે આવ્યું છે. ત્યારે કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ધીરજ શિંગાળાએ આ મામલે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે ભોળાભાઈ ગોહિલ જૂનાગઢ છે તે કુંવરજી બાવળિયાને મળ્યા ન હોવાનું નિવેદન આપીને સ્પષ્ટતા કરી છે. ભાજપ હાર ભાળી ગયું છે એટલે આ પ્રકારના ફોટા વાયરલ કરી રહ્યું છે. ધીરજ શિંગાળા જસદણ વિધાનસભા બેઠકના કોંગ્રેસના સંભવિત ઉમેદવાર પણ છે.
કોંગ્રેસના સંભવિત ઉમેદવાર ભોળા ગોહિલની કુવરજી સાથે મિટિંગની ચર્ચા બહાર આવી હતી. જસદણમાં કુંવરજી અને ભોળા ગોહિલ વચ્ચે મિટિંગ થયાની ચર્ચાએ જોર પકડ્યું હતું. જસદણ પેટા ચૂંટણીમાં ભોલા ગોહિલ કોંગ્રેસના સંભવિત ઉમેદવાર છે. બન્ને વચ્ચે મિટિંગ થયાની ચર્ચા વચ્ચે સ્થાનિક રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું હતું. ભોળા ગોહિલ અગાઉ કુંવરજીના ખાસ વ્યકિત માનવામાં આવતા હતા. હવે બંને સામ સામે ચૂંટણી લડે તેવી શક્યતા છે.
બાવળીયા-ભોળા ગોહિલની મીટિંગ શું ખરેખર થઈ છે? શું ભોળા ગોહિલ કોઈ સેટિંગની ફિરાકમાં છે? કે પછી કોંગ્રેસમાં અત્યારથી જ પોલિટીકલ મર્ડરની શરૂઆત થઈ છે. ટિકિટ વહેંચતા પહેલા એક ઉમદેવારને હરિફાઈમાંથી કાઢવાની ગેમ છે? શું કોંગ્રેસમાં નિર્ણાયકતાના અભાવે રાજકારણ શરૂ થયું છે? ભાજપના બાવળીયા સામે કોંગ્રેસ કેમ ઉમેદવાર જાહેર નથી કરતી? શું એકબીજા ઉમેદવાર કોંગ્રેસને હરાવી મુકશે પછી ઉમેદવાર જાહેર થશે? કે ખરેખર બાવળીયાને કોંગ્રેસના લોકો ફોડવાની જરૂર છે? જસદણની બેઠક પરથી ચૂંટાવાના ખેલ અત્યારથી શરૂ થઈ ચૂક્યા છે?