તે અંગે તેમણે જણાવ્યુ હતું કે અલ્પેશ ઠાકોર એ એક સામાજિક આગેવાન છે સામાજીક કાર્યકર્તા છે. તેમનું નું કદ વધ્યું છે એટલે સસ્પેન્ડ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. સાથે સાથે મારી સાથે પણ કોંગ્રેસના કાર્યકરો દ્વારા ઓરમાયું વર્તન કરવામાં આવી રહ્યું છે અને લોકસભા ચૂંટણીના પ્રચારથી દુર રખાયો હતો.
સાબરકાંઠા લોકસભા બેઠકના પરિણામ મામલે તેમને જણાવ્યું હતું કે રાજેન્દ્રસિંહ ઠાકોર મારા મોટાભાઈ સમાન છે પરંતુ કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિખવાદના કારણે લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્રસિંહ ઠાકોર હારે તો નવાઈ નહીં. કોંગ્રેસ અમને દૂર કરી રહ્યું છે. કોંગ્રેસના લોકોએ મારા કાર્યાલયના બેનર ફાડ્યા હતા.
ધવલસિંહના ફરતા બોલ
અગાઉ એક્ઝિટ પોલ પર કોંગ્રસના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પોતાનું નિવેદન ફેરવી તોડ્યું હતું. એક્ઝિટ પોલ પર ધવલસિંહ ઝાલાએ કોંગ્રેસ તરફી નિવેદન આપ્યું અગાઉ કહ્યું હતું કે, કોંગ્રેસ હારશે.
જ્યારે હવે ધવલસિંહ ઝાલા કહી રહ્યા છીએ કે, કોંગ્રેસને 8થી 12 જેટલી સીટ મળશે. કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર બનશે. ધવલસિંહ ઝાલા અલ્પેશ ઠાકોર જૂથમાંથી આવે છે. કોંગ્રેસમાં સસ્પેન્શનની ગાજ ન આવે તેને લઇ ધવલસિંહ ઝાલાએ આ નિવેદન આપ્યું હોવાનુ મનાય છે.