બોલિવૂડના જાણીતા કોમેડિયન અને એક્ટર જગદીપના નિધનથી બોલિવૂડ શોકાતૂર છે. ત્યારે બધાં જ સેલેબ્સ સોશિયલ મીડિયા દ્વારા તેમને શ્રદ્ધાજંલિ પાઠવી રહ્યાં છે. ત્યારે ફિલ્મ શોલેમાં જગદીપ સાથે કામ કરી ચૂકેલા એક્ટર ધર્મેન્દ્ર પણ તેમના નિધનથી ભાવુક થઈ ગયા છે. ધર્મેન્દ્રને તેમના નિધનથી આઘાત લાગ્યો છે અને એક્ટરે ટ્વિટ કર્યું છે જેના પર યુઝર્સ ખૂબ કમેન્ટ કરી રહ્યાં છે.
એક્ટર જગદીપના નિધનથી બોલિવૂડમાં શોકની લહેર
સેલેબ્સ ટ્વિટ કરીને એક્ટરને શ્રદ્ધાજંલિ આપી રહ્યાં છે
તો તેમની સાથે કામ કરી ચૂકેલાં ધર્મેન્દ્ર કહી આ વાત
https://t.co/QZGSYBcXo4 ....tum bhi chale gaye ....sadme ke baad sadma..... Jannat naseeb ho .....tumhein 🙏
ધર્મેન્દ્ર ટ્વિટમાં જગદીપને શ્રદ્ધાજંલિ આપતા લખ્યું- તું ભી જતો રહ્યો. આઘાત પછી આઘાત. જન્નત નસીબ થાય તને. ધર્મેન્દ્ર સિવાય રિતેશ દેશમુખ અને શિલ્પા શેટ્ટીએ પણ ભાવુક મેસેજ લખીને દુઃખ વ્યક્ત કર્યું છે. અજય દેવગને પણ ટ્વિટ કરીને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.
Slam sir ❤
Ameen
dukh to he but sadma na len dua kren Gagdeep ji k lye.apna khayal rakhe hm sb k lye.🙏
Apke sath kuch piyari yadein hen onki🍁🍀🌸brilliant actar the. pic.twitter.com/tlqsv9UBQU
જગદીપનું અસલી નામ સૈયદ ઈશ્તિયાક અહમદ જાફરી હતું. તેમણે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું હતું. જગદીપનો જન્મ 29 માર્ચ 1939માં થયો હતો. પ્રખ્યાત એક્ટરજાવેદ જાફરી અને નાવેદ જાફરી તેમના દિકરા છે. જગદીપે બાળ કલાકાર તરીકે પોતાના ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી અને તેઓ બી.આર. ચોપડાની ફિલ્મ અફસાનામાં જોવા મળ્યા હતા. આ પછી, તે બાદ અબ દિલ્હી દૂર નહીં, મુન્ના, આર પાર, દો બીઘા જમીન અને હમ પંછી એક ડાલ કેમાં જોવા મળ્યા હતા. પંડિત જવાહરલાલ નેહરુએ જગદીપને ફિલ્મ હમ પંછી એક ડાલ કેમાં શાનદાર કામ માટે ભેટ આપી હતી. જગદીપ 2012 સુધી ફિલ્મોમાં સક્રિય રહ્યાં હતા. 'અંદાજ અપના અપના'માં પણ તેમના કામને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું.