આયાત પર નિર્ણય લેતા પહેલા ભારત પોતાના હિતનું રાખશે ધ્યાનઃ પેટ્રોલિયમ મંત્રી
પેટ્રોલ અને ડીઝલની કિંમતોને લઈને પેટ્રોલિયમ મંત્રઈએ સૂચવ્યો ઉપાય
આયાત પર નિર્ણય લેતા પહેલા ભારત પોતાના હિતનું રાખશે ધ્યાનઃ પેટ્રોલિયમ મંત્રી
જે દેશ સસ્તુ આપશે તેનાથી તેલ ખરીદશે ભારત
સઊદી અરબે ઉત્પાદનને નિયંત્રણને ઘટાડવા માટે ભારતના આગ્રહને નજરઅંદાજ કર્યો છે. એવામાં ભારતે કહ્યું છે કે તે કાચા તેલની ખરીદી કોઈ એવા દેશ પાસેથી કરશે જે અનુકૂળ કારોબારી શરતોની સાથે સસ્તા દરે આપશે. દુનિયાના ત્રીજા સૌથી મોટા તેલ આયાતક દેશ ભારતની રિફાઈનરી કંપનીઓ આપૂર્તિમાં વિવિધીકરણ માટે પશ્ચિમ એશિયાની બહારથી વધારે તેલની ખરીદી કરી રહી છે.
આયાત પર નિર્ણય લેતા પહેલા ભારત પોતાના હિતનું રાખશે ધ્યાનઃ પેટ્રોલિયમ મંત્રી
ફેબ્રુઆરીમાં અમેરિકા, સઉદી અરબને પાછળ છોડીને ભારતનો બીજો સૌથી મોટો આપૂર્તિકર્તા બન્યો હતો. આ પેટ્રોલિયમ નિર્યાતક દેશોના સંગઠન અને અન્ય સહયોગીના ઉત્પાદનમાં કડકાઈ વર્તવાના 4 મહિના પહેલાની વાત છે. એક સંમેલનમાં પેટ્રોલિયમ મંત્રી પ્રધાને કહ્યું કે આયાત પર નિર્ણય લેતા પહેલા ભારત પોતાના હિતનું ધ્યાન રાખશે. આ સાથે ઈન્ટરનેશનલ માર્કેટમાં કાચા તેલનો ભાવ આદે 2.48 ડોલરના વધારા સાથે 64.43 ડોલર પ્રતિ બેરલ છે જ્યારે અમેરિકી WTI 61.13 ડોલર પર ટ્રેન્ડ કરી રહ્યું છે, ઓઈલ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા જાણકારોનું કહેવુંં છે કે જો બ્રેંટ ક્રૂડની કિંમતમાં એક ડોલરનો પણ વધારો આવે છે તો પેટ્રોલની કિંમત 55 પૈસા પ્રતિ લિટર અને ડીઝલ 60 પૈસા પ્રતિ લીટર વધી જાય છે એવામાં અમેરિકાની સાથે ડીલ ભારતને ફાયદો આપશે.
સઉદીના ઉર્જામંત્રીએ શું કહ્યું
સઉદી અરબના ઉર્જામંત્રી અબ્દુલ અજીજ બિન સલમાને ભારતને કહ્યું કે તે ઉત્પાદકોથી ઉત્પાદન વધારવાના બદલે ગયા વર્ષે નીચી કિંમતે ખરીદેલા કાચા તેલનો ઉફયોગ કરશે. તેઓએ એમ પણ કહ્યું કે નજીકના મિત્રએ (undiplomatic) પ્રયોગ છે. પ્રધાને કહ્યું કે ભારત રણનીતિક અને આર્થિક નિર્ણયો લેતી સમયે પોતાના હિતને ધ્યાનામાં રાખશે. તેઓએ એમ પણ કહ્યું કે આપણે ઉપભોક્તા દેશ છીએ અને આપણે દીર્ઘ સમયની ઉર્જાને આયાત કરવાની છે. એવામાં જે દેશ આપણને સસ્તું કાચું તેલ સરળ શરતો સાથે આપશે તેની પાસેથી ખરીદીશું.
જે દેશ સસ્તુ આપશે તેનાથી તેલ ખરીદશે ભારત
પ્રધાને કહ્યું કે કોઈ પણ દેશ દ્વારા સસ્તા દરે આપૂર્તિ અમારી પ્રાથમિકતા છે. આ કોઈ પણ દેશ હોઈ શકે છે. ફેબ્રુઆરીની આયાતને લઈને પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે આ મુદ્દો નથી કે અમે કોની નજીક છીએ. મુદ્દો એ છે કે કોણ અમારા હિતને સારી રીતે પૂરું કરી શકે છે.