કોરોના સંકટ અને લોકડાઉનની સૌથી વધારે અસર પેટ્રોલિયમ ઉત્પાદન પર પડી રહી છે. ક્રૂડ ઓઇલના ભાવમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે અને જેને લઇને ભારતને અંદાજે 25 હજાર કરોડ રૂપિયાનો ફાયદો થયો છે. આ અંગેની જાણકારી પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને એક ખાનગી ટીવી ચેનલ સાથેની વાતચીતમાં આપી છે.
આપણી પાસે 38 મિલિયન ટન ઓઇલ સ્ટોરેજ
ધર્મેન્દ્ર પ્રધાને જાહેર કર્યો સરકારનો રોડ મેપ
કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને જણાવ્યું કે આ દિવસોમાં જ્યારે ક્રૂડ ઓઇલની કિંમત ઘટી છે ત્યારે સૌથી પહેલા આપણે તેની કેપિસીટી ભરવાનું કામ કર્યું છે. અમે લોકોએ 8 મિલિયન ટન દરિયાની અંદર ઓછી કિંમતમાં ખરીદીને રાખ્યું છે. ભારતમાં અંદાજે 25 મિલિયન ટન સ્ટોરેજની ક્ષમતા છે. પ્રોડક્ટ અને ક્રૂડ ઓઇલના રૂપમાં.
દેશને થયેલા ફાયદા અંગે જણાવતાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે અત્યારે કુલ મળીને 38 મિલિયન ટન સસ્તી કિંમતોથી તેલ અમે સ્ટોર કરી રાખ્યું છે. આ ક્રૂડ ઓઇલ સ્ટોરેજ સેન્ટર તેમજ રિફાઇનરીમાં છે. જાન્યુઆી અને એપ્રિલની કિંમતોની જો અમે ગણતરી કરીએ તો 25 હજાર કરોડ રૂપિયા સુધીનો ફાયદો ભારતની જનતાને થયો છે.
કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે જેટલું આપણે સ્ટોરેજ કર્યું છે, જો આપણે આગળ તેનો ઉપયોગ કરીશું તો આપણે જોઇશું કે વાર્ષિક આવશ્યકતાનો 1/4 ઓઇલ આપણે સ્ટોરેજ કરી લીધુ છે. જેનો ફાયદો આવનારા સમયમાં દેશની જનતાને થશે. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે ભારત ઝડપથી આત્મનિર્ભર બની રહ્યું છે.