બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને કમરના સ્નાયુઓ ખેંચાયા હોવાથી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. 86 વર્ષના ધર્મેન્દ્ર હવે સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યાં છે.
બોલીવુડના ધરમપાજી હવે થઇ ગયા છે સાજા
સોશિયલ મીડિયામાં તેમણે હેલ્થનું અપડેટ આપ્યું
ધર્મેન્દ્રએ કમરના દુ:ખાવાનુ કારણ જણાવ્યું
ધર્મેન્દ્રએ તેમની હેલ્થનું અપડેટ આપ્યું
રવિવારે ઘરે પાછા ફરતી વખતે તેમણે સોશિયલ મીડિયામાં એક વીડિયોના માધ્યમથી તેમના હેલ્થનું અપડેટ આપ્યું. આ વીડિયોમાં ધર્મેન્દ્રએ કમરના દુ:ખાવાનુ કારણ જણાવ્યુ છે અને તેનાથી તેમને એક મોટો બોધપાઠ પણ મળ્યો છે. ધર્મેન્દ્રએ વીડિયોમાં કહ્યું, મિત્રો કોઈ પણ કામ વધારે ના કરો. મેં આવુ કર્યુ અને મારે તેની સજા ભોગવવી પડી. મારી પીઠનો એક મોટો સ્નાયુ ખેંચાઈ ગયો છે. જેને કારણે મારે હોસ્પિટલ જવુ પડ્યુ. થોડા દિવસોથી મને ખૂબ પરેશાની થતી હતી. જો કે, તમારા બધાની દુવા અને આશીર્વાદથી હું બિલ્કુલ ઠીક છુ. હું આગળથી વધુ સાવધાન રહીશ. તમને બધાને પ્રેમ.
ફિટનેસને લઇને તેઓ વધુ સીરિયસ
ધર્મેન્દ્ર તેની ફિટનેસને લઇને વધુ સીરિયસ રહે છે. તેઓ લાંબા સમયથી કસરત કરી રહ્યાં છે. તેમની સારી ફિટનેસને કારણે તેમને બોલીવુડનો હીમેન પણ કહેવામાં આવે છે. પોતાને ફિટ રાખવા માટે ધર્મેન્દ્ર દરરોજ વર્કઆઉટ અને સ્વિમિંગ જેવી ફિજીકલ એક્ટિવિટીનો સહારો લે છે. જો કે, તેમાં થોડી બેદરકારીએ તેમને હોસ્પિટલનો માર્ગ બતાવી દીધો.
ધર્મેન્દ્ર ઉંમરના એ તબક્કા પર ઉભા છે, જ્યાં ડૉક્ટર્સ કસરત અથવા કોઈ પણ પ્રકારના વર્કઆઉટને લઇને ખૂબ ગંભીર રહેવાની સલાહ આપે છે. જેમાં ઉંમરમાં થોડી બેદરકારી મોટી મુશ્કેલી ઉભી કરી શકે છે. નિષ્ણાંતો મુજબ વધતી ઉંમરની સાથે તમારા સ્નાયુઓ નબળા થવા લાગે છે. એવામાં જ્યારે તમે ભારે કસરત અને વધુ વર્કઆઉટ કરો છો તો સ્નાયુઓ પર દબાણ વધી જાય છે. જેનાથી ઈજા અને સ્નાયુઓ ખેંચાવાની સમસ્યા થઇ શકે છે.