અમદાવાદઃ ગુજરાતના આણંદ જિલ્લાનું ધર્મજ ગામ છે ભારતનું સૌથી અમીર ગામ. તસ્વીરો જોઇને તમારા મનમાં આ વિચાર જરૂર આવ્યો હશે કે આ ગામ છે કે શહેર? પરંતુ આ તસ્વીરો ધર્મજ ગામની જ છે. આ ગામને ભારતનું સૌથી અમીર ગામ પણ કહેવામાં આવે છે. અહીં તમને પાકા અને સ્વચ્છ રોડ રસ્તા નજરે પડશે. સાથે જ અહીં મૈકડૉનલ્ડ સહિત અનેક મોટા રેસ્ટોરેન્ટ પણ નજરે આવશે.
આ ગામની ખાસ વાત એ છે કે આને એનઆરઆઇનું ગામ પણ કહેવામાં આવે છે. કારણ કે અહીંના લગભગ દરેક ઘરનો વ્યક્તિ વિદેશમાં છે. આ ગામના લોકો જણાવે છે કે ગામના હજારો લોકો તમને કેનેડા અમેરિકા બ્રિટેન જેવા દેશોમાં સરળતાથી મળી જશે.
ધર્મજ ગામની જનસંખ્યા અંદાજિત 12 હજાર છે. પરંતુ અહીં તમને ડઝનથી વધુ પ્રાઇવેટ અને સરકારી બેંક મળી જશે. પરંતુ એવું નથી કે અહીં બેંક ખાલી રહે છે. અહીં તો લોકોના ખાતાઓમાં કરોડો રૂપિયાની રકમ જમા મળશે.
એટલું જ નહીં આયુર્વેદિક હોસ્પિટલ સુપર સ્પેશલિટી હોસ્પિટલ રેજિડેન્શલ સ્કૂલ સહીત તમને આ ગામમાં મળી આવશે. સાથે જ સ્વિમિંગ પૂલ વાળુ આલીશાન ઘર પણ તમને અહીં નજરે આવશે.
ધર્મજ ગામમાં પાટીદાર સમાજના લોકો સૌથી વધુ રહે છે. આ સિવાય બ્રાહ્મણ દલિત વાણિયા સમાજના લોકો પણ તમને અહીં મળી આવશે. અહીં સૌથી અનોખી વાત એ છે કે વિદેશમાં રહેતા લોકો પોતાના ગામના વિકાસ માટે પૈસા પણ મોકલે છે.
આ ગામમાં દર વર્ષે 12 જાન્યુઆરીએ ધર્મજ ડે પણ સેલિબ્રેટ કરવામાં આવે છે. આ વખતે દુનિયાભરથી ધર્મજ ગામના લોકો અહીં ધર્મજ ડે મનાવવા આવશે.