બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / માર્ચમાં માસિક શિવરાત્રી ક્યારે?, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

ધર્મ / માર્ચમાં માસિક શિવરાત્રી ક્યારે?, જાણો તારીખ, શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

Last Updated: 08:38 AM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માર્ચ મહિનાની માસિક શિવરાત્રિ ખૂબ જ વિશેષ માનવામાં આવી રહી છે. માનવામાં આવે છે કે માસિક શિવરાત્રિનું વ્રત રાખવાથી અને ભગવાન શિવની વિધિવત પૂજા-આરાધના કરવાથી જાતકની મનોકામના પૂર્ણ થઈ શકે છે. ચાલો જાણીએ વર્તની તિથિ અને પૂજા વિધિ.

2025 માં ક્યારે છે માસિક શિવરાત્રિ?

હિંદુ ધર્મમાં માસિક શિવરાત્રિને વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. દર મહિને કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ માસિક શિવરાત્રિનું વ્રત રાખવામાં આવે છે. આ દિવસ ભગવાન શંકરને સમર્પિત હોય છે. આ દિવસે શિવજીની પૂરી શ્રદ્ધા અને વિધિવિધાન સાથે આરાધના કરવામાં આવે છે. ભોલેનાથની પૂજા કરવાથી વ્યક્તિની બધી જ મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. ચાલો,જાણીએ માસિક શિવરાત્રિની પૂજા વિધિ અને શુભ મુહૂર્ત.

માર્ચમાં ક્યારે છે માસિક શિવરાત્રિ?

દૃક પંચાંગ અનુસાર, ચૈત્ર મહિનાના કૃષ્ણ પક્ષની ત્રયોદશી તિથિ 27 માર્ચ 2025ના રોજ રાત્રે 11:03 સુધી રહેશે, ત્યારબાદ ચતુર્દશી તિથિ શરૂ થશે. 28 માર્ચ 2025ના રોજ સાંજે 07:55 વાગ્યા સુધી ચતુર્દશી તિથિ રહેશે.

shivratrit-marriage-life.jpg

પૂજા વિધિ

  • સ્નાન કર્યા પછી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરો.
  • શિવ પરિવાર સહિત તમામ દેવી-દેવતાઓની વિધિવત પૂજા કરો.
  • જો વ્રત રાખવું હોય તો પવિત્ર જળ, ફૂલો અને અક્ષત લઈને વ્રત ધારણ કરવાનો સંકલ્પ લો.
  • સંધ્યાના સમયે ઘરમાં કે મંદિરમાં દીવો પ્રગટાવો.
  • શિવલિંગનો અભિષેક કરો અને શિવ પરિવારની પૂજા-અર્ચના કરો.
  • માસિક શિવરાત્રિની વ્રત કથા સાંભળો.
  • ઘીનો દીવો પ્રગટાવી પૂરી શ્રદ્ધા સાથે શિવજીની આરતી કરો.
  • અંતમાં "ૐ નમઃ શિવાય" મંત્રનો જાપ કરો અને ક્ષમા પ્રાર્થના કરો.

શિવ મંત્ર

ૐ નમઃ શિવાય

ૐ ત્ર્યંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ્ |

ઉર્વારુકમિવ બંધનાન્મૃત્યોર્મુક્ષીય માઽમૃતાત્ ||

shivling pooja

પૂજા સામગ્રી

  1. ઘી
  2. દહીં
  3. ફૂલો
  4. ફળ
  5. અક્ષત
  6. બિલિપત્ર
  7. ધતૂરો
  8. ભાંગ
  9. મધ
  10. ગંગાજળ
  11. સફેદ ચંદન
  12. કાળા તલ
  13. કાચું દૂધ
  14. લીલા મગ
  15. શમી પાન

વધુ વાંચો: ગુજરાતમાં અહીં બિરાજમાન સ્વયંભુ કષ્ટ નિવારણ હનુમાનદાદા, સચોટ નિવારણનો છે પરચો

સાચા મનથી અને વિધિવિધાન સાથે શિવજીની પૂજા- અર્ચના કરવામાં આવે તો ભગવાન ભોળાનાથ પ્રશન્ન થાય છે અને મનની દરેક ઈચ્છા પૂરી કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

Religion fast Shivaratri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ