બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / 7 કે 8 તારીખ ક્યારે છે મોહિની એકાદશી?, જાણો ફક્ત એક ક્લિકમાં

ધર્મ / 7 કે 8 તારીખ ક્યારે છે મોહિની એકાદશી?, જાણો ફક્ત એક ક્લિકમાં

Last Updated: 02:08 PM, 25 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ વખતની મોહિની એકાદશીની તારીખને લઇ અસમંજસ છે. આ દિવસે ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંનેની એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મોહિની એકાદશી એ ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી તિથિઓમાંની એક છે. એવી માન્યતા છે કે આ વ્રત પૂર્ણ નિશ્ચયથી કરવામાં આવે તો તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે તથા સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. તમને મોક્ષ પણ મળે છે. આ વખતે મોહિની એકાદશીની તિથિની તારીખને લઈ  મૂંઝવણ છે, તો ચાલો જાણીએ કે આ વખતે મોહિની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે.

  • મોહિની એકાદશી ક્યારે ?
    વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિ 7 મેના રોજ સવારે 10:19 વાગ્યે શરૂ થશે. તારીખ બીજા દિવસે 8 મેના રોજ બપોરે 12:29 વાગ્યે સમાપ્ત થશે. ઉદય તિથિની માન્યતા મુજબ, મોહિની એકાદશીનું વ્રત 8 મે ના રોજ રાખવામાં આવશે.
  • મોહિની એકાદશીની પૂજા કરવાની રીત
    મોહિની એકાદશીના દિવસે પૂજા કરવા માટે સવારે ઉઠીને સ્નાન કરો અને સૂર્યદેવને જળ અર્પણ કરો. ત્યાર બાદ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપનું ધ્યાન કરો વ્રતનો સંકલ્પ કરો. પછી ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા તસવીરને સ્થાપિત કરો. પછી તેના પર પીળા રંગનું કપડું ચઢાવો અને ચંદન, ચોખા, ફૂલો, તુલસીના પાન, દીવો, ધૂપ અને પ્રસાદ ચઢાવીને તેની પૂજા કરો. ત્યારબાદ ધૂપ અને દીવાથી ભગવાન વિષ્ણુની આરતી કરો અને મોહિની એકાદશીની કથા વાંચો. આ દિવસે 'ઓમ નમો ભગવતે વાસુદેવાય'નો જાપ કરવો અને વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો ખૂબ જ ફળદાયી માનવામાં આવે છે.

વધુ વાંચો : પ્રદોષ વ્રતની આ પૌરાણિક કથા ખાસ સાંભળવી, ભોલેનાથની રહેશે વિશેષ કૃપા!

  • મોહિની એકાદશીના પારણનો સમય

મોહિની એકાદશીનું વ્રત બીજા દિવસે એટલે કે 9 મે, 2025 ના રોજ, એટલે કે બારસ તિથિના રોજ રાખવામાં આવે છે. આ દિવસે પારણા માટે શુભ સમય સવારે 5:34 થી 8:16 સુધીનો રહેશે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Lord Vishnu Mohini Ekadashi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ