બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:08 PM, 25 April 2025
હિન્દુ ધર્મમાં વૈશાખ મહિનાના શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બંનેની એકાદશી ખૂબ જ ખાસ માનવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની એકાદશી તિથિએ ભગવાન વિષ્ણુના મોહિની સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મોહિની એકાદશી એ ભગવાન વિષ્ણુની પ્રિય એકાદશી તિથિઓમાંની એક છે. એવી માન્યતા છે કે આ વ્રત પૂર્ણ નિશ્ચયથી કરવામાં આવે તો તમારી દરેક ઇચ્છાઓ પૂર્ણ થાય છે તથા સુખ અને સૌભાગ્યમાં વધારો થાય છે. તમને મોક્ષ પણ મળે છે. આ વખતે મોહિની એકાદશીની તિથિની તારીખને લઈ મૂંઝવણ છે, તો ચાલો જાણીએ કે આ વખતે મોહિની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
મોહિની એકાદશીનું વ્રત બીજા દિવસે એટલે કે 9 મે, 2025 ના રોજ, એટલે કે બારસ તિથિના રોજ રાખવામાં આવે છે. આ દિવસે પારણા માટે શુભ સમય સવારે 5:34 થી 8:16 સુધીનો રહેશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.