બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:57 AM, 10 February 2025
વૈદિક પંચાંગ અનુસાર વર્ષ 2025 ની મહા મહિનાની પૂર્ણિમા 12 ફેબ્રુઆરીએ આવશે. હિન્દુ ધર્મમાં માઘ મહિનાની પૂર્ણિમાનું વિશેષ મહત્ત્વ છે. આ તિથી ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની આરાધના માટે શ્રેષ્ઠ દિવસ માનવામાં આવે છે. આ તિથીના દિવસે બુધવાર છે જેનો સ્વામી બુધદેવ છે, જ્યોતિષ શાસ્ત્રમાં બુધ ગ્રહ ભગવાન વિષ્ણુનું પ્રતિનિધિત્વ કરે છે સાથે જ આ દિવસે સૌભાગ્ય ને શોભન એમ બે વિશેષ શુભ યોગનું પણ નિર્માણ થઈ રહ્યું છે.
ADVERTISEMENT
માઘ પૂર્ણિમા ના શુભ યોગની રાશિઓ પર અસર
ADVERTISEMENT
જ્યોતિષના જણાવ્યા મુજબ માઘ પૂર્ણિમા પર બની રહેલા આ દુર્લભ સંયોગની અસર આમતો દરેક રાશિ પર પડશે પરંતુ 3 રાશિઓના જાતકો પર ભગવાન વિષ્ણુ અને માં લક્ષ્મીની ખાસ કૃપા વરસશે. આ 3 રાશિઓના જાતકોને ધન-ધાન્યની પ્રાપ્તિ માટે શુભ અવસર પ્રાપ્ત થશે. રોકાણ કરવા માટે અને સંપતિ ખરીદવા માટે આ સમય ખૂબ અનુકૂળ માનવામાં આવે છે, જે સમય સાથે ખૂબ શુભ ફળ આપશે. તો ચાલો જાણીએ કે કઈ કઈ રાશિઓને ખાસ ઉપાય કરવાથી શ્રી હરિના આશીર્વાદ મળશે.
વૃષભ રાશિ
આ રાશિના જાતકોના બાકી રહેલા કામ પૂર્ણ થશે અને નવી તકો મળશે. નાણાકીય લાભ અને રોકાણથી જબરદસ્ત લાભ થશે. પારિવારિક જીવનમાં ખુશીઓ રહેશે અને ઘરમાં શુભ કાર્ય થઈ શકે છે. વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને નવો સોદો અથવા મોટો પ્રોજેક્ટ મળશે. કારકિર્દીમાં પ્રમોશન અને માન-સન્માનમાં વધારો થવાની શક્યતા છે.
કર્ક રાશિ
આ રાશિના જાતકોને આવકના નવા સ્ત્રોતો વિકસિત થતાં આર્થિક સ્થિતિમાં સુધારો થશે. પરિવારમાં સારા સમાચાર મળશે અને તમારા જીવનસાથીનો સહયોગ વધશે. વિદેશ યાત્રા અથવા ઉચ્ચ શિક્ષણ મેળવવાની શક્યતા છે. સરકારી કાર્યોમાં સફળતા મળશે અને બાકી યોજનાઓ પૂર્ણ થશે.
કન્યા રાશિ
આ રાશિના જાતકોને નોકરી અને વ્યવસાયમાં મોટો લાભ થશે. બાકી રહેલા કામો ઝડપથી પૂર્ણ થશે, જેનાથી નાણાકીય મજબૂતી મળશે. લગ્ન યોગ્ય લોકોને સારા સંબંધો મળી શકે છે. તમને તમારા બાળક સંબંધિત કોઈ સારા સમાચાર મળશે અને ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. તમને આધ્યાત્મિક પ્રગતિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
ધનુ રાશિ
આ રાશિના જાતકોને કારકિર્દી અને વ્યવસાયમાં નવી સિદ્ધિઓ મળશે. મુસાફરીથી લાભ થશે અને નવી મિલકત ખરીદવાની શક્યતા છે. આધ્યાત્મિક રસ વધશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. અટવાયેલા પૈસા પાછા મળશે અને નાણાકીય સ્થિતિ મજબૂત બનશે.
વધુ વાંચો: દર્શન કરો ખારાની ખોડિયાર માતાજીના, ખડેશ્રી બાપુએ 12 વર્ષ ખડેપગે તપસ્યા કરી જગ્યાને કરી છે જાગૃત
મીન રાશિ
મીન રાશિના જાતિકો માટે નવી નોકરી અને પ્રમોશનનો યોગ બને છે. વેપારમાં લાભ અને ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે. સંતાન પક્ષથી શુભ સમાચાર અને પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. લગ્ન યોગ્ય જાતિકોને શ્રેષ્ઠ લગ્ન પ્રસ્તાવ મળી શકે છે. માનસિક શાંતિ અને આધ્યાત્મ તરફ વળશો.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.