બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / પાકિસ્તાનના આ વિસ્તારમાં આવેલું હતું વિશ્વનું સૌથી મોટું સૂર્ય મંદિર, પરંતુ હવે...

ધર્મ / પાકિસ્તાનના આ વિસ્તારમાં આવેલું હતું વિશ્વનું સૌથી મોટું સૂર્ય મંદિર, પરંતુ હવે...

Last Updated: 08:39 PM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મના સૂર્ય દેવનું ખાસ મહત્વ છે. જેથી વખતો વખત રાજા મહારાજાઓએ સૂર્ય દેવના મંદિરો પણ બંધાવ્યા હતા. આવું એક સૌથી મોટું સૂર્ય મંદિર અત્યારના પાકિસ્તાનમાં બંધાવવામાં આવ્યું હતું. એવું માનવામાં આવે છે આ સુર્ય મંદિરનું નિર્માણ કૃષ્ણના પુત્રએ કરાવ્યું હતું.

પાકિસ્તાન એક સમયે ભારતનો હિસ્સો હતું. અહીંયા એક સમયે હિન્દુ સમુદાયની વસ્તી ખાસા એવા પ્રમાણમાં હતી. પરંતુ આજે ભારતના સૌથી મોટા દુશ્મન દેશ પાકિસ્તાનમાં હિન્દુઓ સૌથી મોટો લઘુમતી સમુદાય છે. ભાગલા પહેલા હાલના પાકિસ્તાનમાં હજારો ઐતિહાસિક હિન્દુ મંદિરો હતા જેમાંથી એક સૂર્ય મંદિર હજુ પણ અસ્તિત્વમાં છે. એવું માનવામાં આવે છે કે પાકિસ્તાનમા વિશ્વનું સૌથી મોટું સૂર્ય મંદિર આવેલું હતું. ચાલો જાણીએ કે ભગવાન કૃષ્ણના પુત્રનો તેની સાથે શું સંબંધ છે.

  • પાકિસ્તાનનું સૂર્ય મંદિર

દેશ અને દુનિયામાં આવા ઘણા સૂર્ય મંદિરો છે જેનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. આવું જ એક મંદિર પાકિસ્તાનના મુલતાન ક્ષેત્રમાં આવેલું છે. મુલતાનમાં આવેલા સૂર્ય મંદિરને વિશ્વનું સૌથી મોટું સૂર્ય મંદિર માનવામાં આવે છે. તે આદિત્ય સૂર્ય મંદિર તરીકે પ્રખ્યાત છે. આ પ્રાચીન મંદિર ભગવાન સૂર્ય માટે બનાવવામાં આવ્યું હતું. આ મંદિર એટલું વિશાળ હતું કે તે મુલતાનના સૌથી વધુ વસ્તીવાળા ભાગમાં શહેરના આઇવરી અને કાસેરા બજાર વચ્ચે ફેલાયેલું હતું.

  • કૃષ્ણ ભગવાનનો સૂર્યદેવ મંદિર સાથેનો સંબંધ

આ સૂર્ય મંદિરનો ઇતિહાસ લગભગ 5000 વર્ષ જૂનો છે. એવી માન્યતા છે કે આ સૂર્ય મંદિર દ્વાપર યુગ દરમિયાન ભગવાન કૃષ્ણના પુત્ર સાંબ દ્વારા બનાવવામાં આવ્યું હતું. સાંબ શ્રી કૃષ્ણ અને જાંબવતીનો પુત્ર હતો. સાંબના અધર્મી કાર્યોથી ક્રોધિત થઈને ભગવાન કૃષ્ણએ સાંબને કુષ્ઠ રોગી થવાનો શ્રાપ આપ્યો હતો.

Vtv App Promotion 2

મહર્ષિ કટકે સાંબને સૂર્યદેવની પૂજા કરીને રક્તપિત્તથી મુક્તિ મેળવવાનો ઉપાય જણાવ્યો હતો. ત્યાર બાદ સાંબે ચંદ્રભાગા નદીના કિનારે મિત્રવનમાં સૂર્ય ભગવાનનું મંદિર બનાવ્યું અને 12 વર્ષ સુધી સૂર્ય ભગવાનની કઠોર તપસ્યા કરી હતી. આ તપસ્યાના પ્રભાવથી તે સ્વસ્થ થયો હતો. ત્યાર બાદ સાંબે મુલતાનમાં સૂર્ય ભગવાનનું મંદિર બનાવ્યું હતું.

વધુ વાંચો : આવા કપડાં પહેરવાથી આવશે કંગાળી, ઘરમાં નહીં રહે બરકત, જાણો વાસ્તુના નિયમો

  • આ છે મંદિરની હાલત

પાકિસ્તાનના મુલતાનનું આ સૂર્ય મંદિર હિન્દુ લોકો માટે આસ્થાનું કેન્દ્ર હતું પરંતુ 10મી સદીમાં ત્યાંના શાસકોએ મંદિરનો નાશ કર્યો હતો. અહીંના પથ્થરો અને સ્તંભો એક સમયે તેની મહાનતાની સાક્ષી પુરતા હતા.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

Sun Temple Dharma Pakistan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ