બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / હંમેશા રૂપિયાથી ભરેલી રહેશે ઘરની તિજોરી! દરરોજ સવારે ઉઠીને કરો આ 7 મંત્રોનો જાપ

ધર્મ / હંમેશા રૂપિયાથી ભરેલી રહેશે ઘરની તિજોરી! દરરોજ સવારે ઉઠીને કરો આ 7 મંત્રોનો જાપ

Last Updated: 08:58 PM, 23 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મમાં શ્લોકોનું ખુબ મહત્વ છે. જેમાં અમુક શ્લોકોનું સવારે પઠન કરવામાં આવે તો આપનો આખો દિવસ સારો પસાર થાય છે.

જો તમારા દિવસની શરૂઆત સારી હોય તો આખો દિવસ સારો જાય છે. સવારે તમે જે કામ કરો છો તેનો જીવન પર ખૂબ જ પ્રભાવ પડે છે. એટલા માટે અનેક લોકો પોતાના દિવસની શરૂઆત ભગવાનનું સ્મરણ કરીને, વિવિધ મંત્રોનો જાપ કરીને, સ્નાન કરીને, પૂજા અને ધ્યાન કરીને કરે છે અને બાદ તેઓ પોતાનું કામ શરૂ કરે છે. ઉપનિષદ નિત્ય કર્મ પૂજા પ્રકાશ મુજબ સવારે ઉઠીને કરાગ્રે વસતે લક્ષ્મી નામના પ્રસિદ્ધ શ્લોકનો પાઠ કરવો જોઈએ. આ સાથે, જમીનને સ્પર્શ કરો. પરંતુ આ સાથે કેટલાક અન્ય મંત્રોનો પણ જાપ કરવો જોઈએ. સવારે આ મંત્રોનો નિયમિત જાપ કરવાથી લોકોને તમામ પ્રકારના દુઃખ અને ગરીબીમાંથી મુક્તિ મળે છે તથા સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે સવારે કયા શ્લોકનો પાઠ કરવો જોઈએ.

  • ગણેશનો મંત્ર
    प्रातः स्मरामि गणनाथमनाथबन्धुं
    सिन्दूरपूरपरिशोभितगण्डयुग्मम् । उद्दण्डविघ्नपरिखण्डनचण्डदण्ड-
    माखण्डलादिसुरनायकवृन्दवन्द्यम् ॥

અર્થ
મને અનાથોના ભાઈ, સિંદૂરથી શોભાયમાન બંને ગંડસ્થળવાળા શક્તિશાળી અવરોધોનો નાશ કરવા સક્ષમ હોય અને ઇન્દ્રાદી દેવતાઓથી નમસ્કૃત શ્રી ગણેશને હું સવારે સ્મરણ કરું છું.

  • વિષ્ણુ ભગવાનનું સ્મરણ

प्रातः स्मरामि भवभीतिमहार्तिनाशं
नारायणं गरुडवाहनमब्जनाभम् ।
ग्राहाभिभूतवरवारणमुक्तिहेतुं
चक्रायुधं
तरुणवारिजपत्रनेत्रम् ॥

અર્થ
સંસારના ભય સ્વરૂપે મહાન દુ:ખનો નાશ કરનાર, જે હાથીને મગરથી મુક્ત કરનાર, જે ચક્ર ધારણ કરે છે અને નવા કમળના પાન જેવી આંખો ધરાવે છે અને જે પદ્મનાભ ગરુડ પર સવાર છે તેવા ભગવાન શ્રી નારાયણનું સ્મરણ કરું છું.

  • શિવજીનું સ્મરણ

प्रातः स्मरामि भवभीतिहरं सुरेशं
गङ्गाधरं वृषभवाहनमम्बिकेशम् ।
खट्वाङ्गशूलवरदाभयहस्तमीशं
संसाररोगहरमौषधमद्वितीयम्॥

અર્થ
જગતના ભયનો નાશ કરનાર દેવેશ, ગંગાધર, વૃષભવાહન, પાર્વતીપતિ, જેમના હાથમાં ખટ્વાંગ અને ત્રિશૂલ છે અને જેમની પાસે જગતના રોગોનો નાશ કરવા માટે અનન્ય ઔષધીય સ્વરૂપ, નિર્ભયતા અને વરદ મુદ્રા યુક્ત સ્વાલે ભગવાન શિવને હું સવારે સ્મરણ કરું છું.

  • દેવીનું સ્મરણ

प्रातः स्मरामि शरदिन्दुक रोज्ज्वलाभां
सद्रत्नवन्मकरकुण्डलहारभूषाम्
दिव्यायुधोर्जितसुनीलसहस्त्रहस्तां
रक्तोत्पलाभचरणां भवर्ती परेशाम् ॥

અર્થ

જેમની પાસે પાનખરના ચંદ્ર જેવી તેજસ્વી આભા છે, જે કિંમતી પથ્થરના કાનના બુટ્ટીઓ અને ગળાનો હારથી શણગારેલી છે, જેમના હજારો સુંદર વાદળી હાથ દૈવી શસ્ત્રોથી ચમકતા છે, જેમના પગમાં લાલ કમળનો પ્રકાશ છે તેવી ભગવતી દેવીને હું સવારે સ્મરણ કરું છું.

  • સૂર્યનું સ્મરણ

प्रातः स्मरामि खलु तत्सवितुर्वरेण्यं
रूपं हि मण्डलमृचोऽथ तनुर्यजूंषि । सामानि यस्य किरणाः प्रभवादिहेतुं
ब्रह्माहरात्मकमलक्ष्यमचिन्त्यरूपम्

અર્થ
સૂર્યનું તે વિશાળ સ્વરૂપ જેનું મંડલ ઋગ્વેદ, કલેવર યજુર્વેદ  અને કિરણો સામવેદ છે. જે સૃષ્ટિના કારણ છે, જે બ્રહ્મા અને શિવનું સ્વરૂપ છે અને જેનું સ્વરૂપ અકલ્પ્ય અને અદ્રશ્ય છે. તેવા સુર્ય દેવને હું સવારે સ્મરણ કરું છું.

  • ત્રિદેવ સાથે નવ ગ્રહનું સ્મરણ

ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी
भानुः शशी भूमिसुतो बुधश्च ।
गुरुश्च शुक्रः शनिराहुकेतवः
कुर्वन्तु सर्वे मम सुप्रभातम् ॥

અર્થ
બ્રહ્મા, વિષ્ણુ, શિવ, સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, રાહુ અને કેતુ. આ બધા મારી સવારને શુભ બનાવે.

  • પ્રકૃતિનું સ્મરણ
    पृथ्वी सगन्धा सरसास्तथापः
    स्पर्शी च वायुर्ज्वलितं च तेजः ।
    नभः सशब्दं महता सहैव
    कुर्वन्तु सर्वे मम सुप्रभातम् ॥

અર્થ

સુગંધથી ભરેલી પૃથ્વી, રસથી ભરેલું પાણી, સ્પર્શથી ભરેલી હવા, પ્રજ્વલિત પ્રકાશ,
આકાશ અને શબ્દો સાથેનું મહત્વ. આ બધું મારી સવારને શુભ બનાવે.

વધુ વાંચો : નિર્જળા એકાદશી વ્રત કરી રહ્યા હો તો, આ સમયે કરો જલ ગ્રહણ, જાણો નિયમ

આ રીતે, જે કોઈ વ્યક્તિ ઉપરોક્ત સૌથી પવિત્ર શ્લોકોનું પાઠ કરે છે, યાદ કરે છે અથવા સાંભળે છે, જે સવારે ભક્તિભાવથી યાદ રાખવા યોગ્ય છે. તેના દુ:ખ અને સપના ભગવાનની કૃપાથી નાશ પામે છે અને તેની સવાર શુભ બને છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Religion Hindu Dharma Shloka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ