દાન કરવાથી મળતું સુખ શરીર ઉપર પોઝિટિવ અસર કરે છે. દાન કરવાથી મન અને વિચારોમાં વિસ્તાર થાય છે. દાનથી મોહની શક્તિ નબળી પડે છે. દરેક પ્રકારના લગાવ અને ભાવને છોડવાની શરૂઆત દાન અને ક્ષમાથી થાય છે. દાન કરવાથી વ્યક્તિનો અહંકાર અને મોહ દૂર થાય છે. દાન કરવાથી મનની અનેક ગ્રંથીઓ ખુલે છે અને અપાર સંતુષ્ટિ મળે છે. દાન કરવાથી અનેક પ્રકારના દોષ પણ દૂર થાય છે.
જગદગુરુ વાસુદેવે દાનની વ્યાખ્યા આપી છે
અધિકમાસમાં આ 7 વસ્તુઓના દાન સાત ભવ પાર લગાવશે
ગરૂડ પુરાણમાં આ સાત દાનથી સાત પ્રકારના લાભ થશે તેવું જણાવવામાં આવ્યું છે
કુદરતનો એક નિયમ છે. તમારે જે જોઈએ છે તે વહેંચવા માંડો. જુઓ પછી ચમત્કાર. ખુશી જોઈએ છે. બીજાને ખુશ કરો, સુખી થવું છે તો બીજા સુખી થાય તેવું કરો. એટલે તમારે જે જોઈએ તે બીજાને પણ જોઈતું હો તમારી પાસે જરૂર પુરતું રાખી બીજું દાન કરો.
જગદગુરુ વાસુદેવે દાનની વ્યાખ્યા આપી છે
શ્રીમદ્ ભગવદ્ ગીતાના 17માં અધ્યાયના 20માં શ્લોકમાં ખુદ જગદગુરુ વાસુદેવે દાનની વ્યાખ્યા આપી છે જે મુજબ દાન દેવું એ ફરજ છે એવી સમજણથી કોઈ પણ જાતની અપેક્ષા વગર યોગ્ય સ્થળે, યોગ્ય સમયે, યોગ્ય વ્યકિતને જે અપાય છે તેને સાત્ત્વિક દાન કહે છે.' દાનની આવી સર્વશ્રેષ્ઠ વ્યાખ્યા આખા જગતમાં બીજી એક પણ નથી.
પાત્ર જોઈ દાન કરવું
ફળની આશાથી કચવાતા મને અપાતું દાન રાજસિક અને સત્કાર વિના, તિરસ્કારથી અયોગ્ય દેશકાળમાં કુપાત્રને આપેલું દાન તામસિક દાન કહેલું છે. ઘણી વખત તો આપણે ખુદ દયાભાવથી આપેલ દાનનો દુરુપયોગ સગી આંખે જોઈએ છીએ ત્યાર પસ્તાવો થાય છે એટલે તો કહ્યું છે ને કે પાત્ર જોઈ દાન કરવું.
ગરૂડ પુરાણમાં આ સાત દાનથી સાત પ્રકારના લાભ થશે તેવું જણાવવામાં આવ્યું છે.