બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આ લોકોના નસીબમાં નથી હોતો પ્રેમ, કુંડળીમાં આ ગ્રહો અને યોગને કારણે દર વખતે તૂટી જાય છે દિલ!
Last Updated: 09:03 AM, 22 April 2025
જ્યોતિષ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જે જેમાં વ્યક્તિના અંગત જીવન વિશે ઘણું બધુ જણી શકાય છે. જેમ કે યશ, વૈભ, ધન, પ્રેમ, સુખ વગેરે.. આ બધુ સારા ગ્રહોનું પરિણામ છે. કોઈ કોઇની કુંડળીમાં એવા ગ્રહ પણ હોય છે કે જેના અશુભ પ્રભાવને લીધે વ્યક્તિને જીવનભર પ્રેમ મળી શકતો નથી.
ADVERTISEMENT
જ્યોતિષ અનુસાર પ્રેમમાં મામલામાં ગ્રહો, રાશિઓ અને નક્ષત્રોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ગ્રહો, રાશિઓ અને નક્ષત્રોની શુભ-અશુભ દ્રષ્ટિ, સ્થિતિ અને યોગના લીધે પ્રેમમાં ઘણીવાર બેવફાઇનો સામનો કરવો પડે છે.
શનિની નકારાત્મક અસર
ADVERTISEMENT
જો શનિ પાંચમા ભાવ (પ્રેમ સંબંધનું ઘર) અને સાતમા ભાવ (લગ્નનું ઘર) પર દ્રષ્ટિ કરે છે. તો તે વ્યક્તિના સંબંધોમાં ધીમે ધીમે દૂરી વધવા લાગે છે. શનિના અસર વાળી વ્યક્તિ ઓવર થિંકિંર, ઇમોશનને દબાવવા અને લાગણીને સંકોચી નાખે છે. જેના લીધે પ્રેમમાં સ્પાર્ક ખતમ થઈ જાય છે.
રાહુ અને કેતુની સ્થિતિ
રાહુ અને કેતુની મહાદશા
જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને વિચ્છેદના ગ્રહ માનવામાં આવે છે. રાહુ અને કેતુની મહાદશામાં વ્યક્તિની ધીરજ અને સહનશીલતા ઓછી થવા લાગે છે. તેને કોઈ પણ સંબંધમાં પડવાનો ડર લાગે છે. આના કારણે પ્રેમ જીવનમાં અસ્થિરતા રહે છે. એવું માનવામાં આવે છે કે રાહુની મહાદશા દરમિયાન મોટાભાગના સંબંધો તૂટી જાય છે. તે જ સમયે કેતુની મહાદશામાં વ્યક્તિ છૂટાછેડાની સાથે કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે.
આ યોગ પણ બનાવે છે વ્યક્તિને પ્રેમમાં અસફળ
પાંચમા ઘરનો સ્વામી છઠ્ઠા, આઠમા કે બારમા ઘરમાં જાય છે. રાહુ, કેતુ, શનિ કે સૂર્ય પાંચમા ઘરમાં હોય તો પણ વ્યક્તિને પ્રેમ મળતો નથી. જો રાહુ, કેતુ, શનિ અથવા સૂર્ય પાંચમા ભાવમાં હોય તો વ્યક્તિનો પ્રેમ અસફળ બની જાય છે. શુક્ર અને ચંદ્ર બંનેની અવદશા પણ પ્રેમમાં ભંગનું કારણ બને છે. જો પાંચમા અને સાતમા ઘર એકબીજા સાથે સંબંધ સ્થાપિત કરવામાં અસમર્થ હોય તો પ્રેમ મળી શકતો નથી. જો બીજા, પાંચમા અને અગિયારમા ઘરમાં ક્રૂર ગ્રહોનો પ્રભાવ હોય તો પ્રેમમાં બેવફાઈ જોવા મળે છે.
મંગળનો પ્રભાવ
જો મંગળ કુંડળીમાં પાંચમા, સાતમા કે આઠમા ઘરમાં હોય, તો સંબંધમાં અહંકાર, ઝઘડા અથવા પ્રભુત્વની લાગણી આવે છે.
અજમાવો આ ઉપાય
વધુ વાંચો: અખાત્રીજ આવતા પહેલાજ ઘરમાંથી ફેંકી દો આ વસ્તુઓ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
DISCLAIMER
ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી https://www.vtvgujarati.com/નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.