બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ લોકોના નસીબમાં નથી હોતો પ્રેમ, કુંડળીમાં આ ગ્રહો અને યોગને કારણે દર વખતે તૂટી જાય છે દિલ!

ધર્મ / આ લોકોના નસીબમાં નથી હોતો પ્રેમ, કુંડળીમાં આ ગ્રહો અને યોગને કારણે દર વખતે તૂટી જાય છે દિલ!

Last Updated: 09:03 AM, 22 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમુક લોકો એવા હોય છે જેમને જીવનમાં પ્રેમ મળતો નથી. આ લોકો જીવનભર સાચા પ્રેમ માટે તરસે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર લાઈફમાં પ્રેમ મળવો કે નહી તે પણ ગ્રહ પર આધાર રાખે છે. ત્યારે ચાલો જાણીએ કે જ્યોતિષની દ્રષ્ટિએ કયા ગ્રહો પ્રેમમાં બાધક બને છે.

જ્યોતિષ શાસ્ત્ર એક એવું શાસ્ત્ર છે જે જેમાં વ્યક્તિના અંગત જીવન વિશે ઘણું બધુ જણી શકાય છે. જેમ કે યશ, વૈભ, ધન, પ્રેમ, સુખ વગેરે.. આ બધુ સારા ગ્રહોનું પરિણામ છે. કોઈ કોઇની કુંડળીમાં એવા ગ્રહ પણ હોય છે કે જેના અશુભ પ્રભાવને લીધે વ્યક્તિને જીવનભર પ્રેમ મળી શકતો નથી.

જ્યોતિષ અનુસાર પ્રેમમાં મામલામાં ગ્રહો, રાશિઓ અને નક્ષત્રોની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. ગ્રહો, રાશિઓ અને નક્ષત્રોની શુભ-અશુભ દ્રષ્ટિ, સ્થિતિ અને યોગના લીધે પ્રેમમાં ઘણીવાર બેવફાઇનો સામનો કરવો પડે છે.

શનિની નકારાત્મક અસર

જો શનિ પાંચમા ભાવ (પ્રેમ સંબંધનું ઘર) અને સાતમા ભાવ (લગ્નનું ઘર) પર દ્રષ્ટિ કરે છે. તો તે વ્યક્તિના સંબંધોમાં ધીમે ધીમે દૂરી વધવા લાગે છે. શનિના અસર વાળી વ્યક્તિ ઓવર થિંકિંર, ઇમોશનને દબાવવા અને લાગણીને સંકોચી નાખે છે. જેના લીધે પ્રેમમાં સ્પાર્ક ખતમ થઈ જાય છે.

zodiac

રાહુ અને કેતુની સ્થિતિ

  • રાહુ પ્રેમને ભ્રમ અને લોભમાં પરિવર્તિત કરી શકે છે. જો તે પાંચમા ઘરમાં હોય તો વ્યક્તિ વારંવાર છેતરાઈ શકે છે. કેતુ લાગણીઓને મારી નાખે છે. જો કેતુ પાંચમા કે સાતમા ઘરમાં હોય તો વ્યક્તિને પ્રેમ મળતો નથી અથવા જો મળે તો પણ તેને રસ હોતો નથી.
  • જ્યારે કુંડળીના પાંચમા અને સાતમા ઘરના શાસક ગ્રહો એટલે કે પંચમશ અને સપ્તમશ કુંડળીમાં નબળા હોય છે ત્યારે પ્રેમમાં સફળતા મળતી નથી. જો આવું થાય તો પતિ-પત્ની છૂટાછેડા પણ લઈ શકે છે. પાંચમા અને સાતમા ઘરમાં જે પણ રાશિ લખેલી હોય તે રાશિના સ્વામીને તે ઘરનો સ્વામી કહેવામાં આવે છે.
  • જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે રાહુ, મંગળ, સૂર્ય અને શનિ તેમની નીચી રાશિમાં હોય છે અને ત્યાંથી તેઓ પાંચમા કે સાતમા ભાવમાં દ્રષ્ટિ કરે છે ત્યારે પ્રેમ અધૂરો રહે છે.
  • ચંદ્ર અને રાહુ કે કેતુના યુતિને કારણે પણ પ્રેમ જીવનમાં સમસ્યાઓ ઊભી થાય છે. ચંદ્ર મનનો કારક છે. જ્યારે તે નબળો હોય છે ત્યારે પ્રેમીઓ નાની નાની બાબતો પર ઝઘડો કરે છે અને બ્રેકઅપ પણ થાય છે.

રાહુ અને કેતુની મહાદશા

જ્યોતિષ શાસ્ત્રમાં રાહુ અને કેતુને વિચ્છેદના ગ્રહ માનવામાં આવે છે. રાહુ અને કેતુની મહાદશામાં વ્યક્તિની ધીરજ અને સહનશીલતા ઓછી થવા લાગે છે. તેને કોઈ પણ સંબંધમાં પડવાનો ડર લાગે છે. આના કારણે પ્રેમ જીવનમાં અસ્થિરતા રહે છે. એવું માનવામાં આવે છે કે રાહુની મહાદશા દરમિયાન મોટાભાગના સંબંધો તૂટી જાય છે. તે જ સમયે કેતુની મહાદશામાં વ્યક્તિ છૂટાછેડાની સાથે કાનૂની મુશ્કેલીઓમાં ફસાઈ જાય છે.

આ યોગ પણ બનાવે છે વ્યક્તિને પ્રેમમાં અસફળ

પાંચમા ઘરનો સ્વામી છઠ્ઠા, આઠમા કે બારમા ઘરમાં જાય છે. રાહુ, કેતુ, શનિ કે સૂર્ય પાંચમા ઘરમાં હોય તો પણ વ્યક્તિને પ્રેમ મળતો નથી. જો રાહુ, કેતુ, શનિ અથવા સૂર્ય પાંચમા ભાવમાં હોય તો વ્યક્તિનો પ્રેમ અસફળ બની જાય છે. શુક્ર અને ચંદ્ર બંનેની અવદશા પણ પ્રેમમાં ભંગનું કારણ બને છે. જો પાંચમા અને સાતમા ઘર એકબીજા સાથે સંબંધ સ્થાપિત કરવામાં અસમર્થ હોય તો પ્રેમ મળી શકતો નથી. જો બીજા, પાંચમા અને અગિયારમા ઘરમાં ક્રૂર ગ્રહોનો પ્રભાવ હોય તો પ્રેમમાં બેવફાઈ જોવા મળે છે.

મંગળનો પ્રભાવ

જો મંગળ કુંડળીમાં પાંચમા, સાતમા કે આઠમા ઘરમાં હોય, તો સંબંધમાં અહંકાર, ઝઘડા અથવા પ્રભુત્વની લાગણી આવે છે.

અજમાવો આ ઉપાય

  • દરરોજ સવારે 'રાધે કૃષ્ણ' નું સ્મરણ કરો. તેમનો ફોટો તમારા રૂમમાં રાખો. શુક્રવારે ગુલાબના ફૂલો અને મીઠાઈનો ભોગ ધરાવો.
  • જો કુંડળીમાં રાહુ-કેતુ પ્રેમમાં છેતરપિંડી કે મૂંઝવણ પેદા કરી રહ્યા હોય તો શનિવારે પીપળાના ઝાડે સરસવનું તેલ અર્પણ કરો. ‘ॐ राम राहवे नमः’ અને ‘ॐ कें केतवे नमः’ નો જાપ કરો.
  • દર સોમવારે ‘ॐ चं चंद्राय नमः’ નો 108 વાર જાપ કરો. દર શુક્રવારે ‘ॐ शुक्राय नमः’નો જાપ કરો અને સફેદ વસ્તુઓનું દાન કરો. ચંદ્રને શાંત રાખવા માટે દરરોજ રાત્રે એક ગ્લાસ પાણીમાં થોડું દૂધ ભેળવીને ચંદ્રને અર્પણ કરો.

વધુ વાંચો: અખાત્રીજ આવતા પહેલાજ ઘરમાંથી ફેંકી દો આ વસ્તુઓ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન

DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી https://www.vtvgujarati.com/નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

astrology zodiac Relationship
Priyankka Triveddi

Sr. News Editor at VTV Gujarati, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ