બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:55 PM, 25 March 2025
નીમ કરોલી બાબાનું માર્ગદર્શન
ADVERTISEMENT
નીમ કરોલી બાબાના આશ્રમ કેંચી ધામમાં દેશ-વિદેશથી શ્રદ્ધાળુઓ આવે છે. અહીં ભક્તજનો બાબાના આશીર્વાદ લે છે અને તેમનાં ઉપદેશોને જીવનમાં ઉતારવાની કોશિશ કરે છે. બાબાએ પોતાના જીવન દરમિયાન અનેક ઉપદેશ આપ્યા છે, જે આજના યુગમાં પણ પ્રાસંગિક છે અને લોકોને માર્ગદર્શન પૂરું પાડે છે.
તેમણે કેટલાક એવા શુભ સંકેતો વિશે પણ જણાવ્યું છે, જે દર્શાવે છે કે તમારા સારા દિવસો નજીક છે. જો તમને આવા સંકેતો મળતાં હોય, તો સમજવું કે તમારું નસીબ તેજ થવાનું છે.
ADVERTISEMENT
સારો સમય શરૂ થવાના સંકેતો
જો તમારું મન સાધુ-સંતોના દર્શન કરવા અથવા તેમના વિચારો સાંભળવા માટે આતુર થાય, અને વારંવાર તમારો સાધુ-સંતો સાથે સંપર્ક થાય, અથવા તમે તેમના દર્શન અચાનક કરી બેસો, તો તે શુભ સંકેત છે. તે સૂચવે છે કે તમારા જીવનમાં સકારાત્મક બદલાવ આવવાનો છે અને તમારું ભવિષ્ય તેજ થવાનું છે.
જો તમારું મન લાંબા સમય સુધી શાંત અને હળવું અનુભવાય, જીવનમાં શાંતિ અને સુખદ અનુભવ થાય, ભવિષ્યની કોઈ ચિંતા ન રહે અને તમે હંમેશા આનંદિત રહો, તો તે પણ સંકેત છે કે તમારા સારા દિવસો નજીક છે. તમને કોઈ મોટી સિદ્ધિ મળવાની છે.
જો તમે પૂજા-પાઠ કે ધાર્મિક ક્રિયામાં એટલા તલીન થઈ જાઓ કે તમારી આંખોમાંથી સ્વયં આંસુ વહેવા લાગે, તો તે ખૂબ જ શુભ સંકેત છે. તે દર્શાવે છે કે તમારા પર ઈશ્વરની વિશેષ કૃપા છે અને તમારી ઈચ્છાઓ પૂરી થવાની છે.
જો તમારા સપનામાં પિતૃઓ પ્રસન્ન થઈને આશીર્વાદ આપતા હોય, તો તે એક શુભ સંકેત છે. તે દર્શાવે છે કે તમે કોઈ શુભ સમાચાર મેળવવાના છો. તમારા જીવનમાં ધનલાભ અને માન-સન્માન વધવાનું છે.
જો ઘરમાં વારંવાર પોપટ કે અન્ય પંખીઓ આવવા લાગે, તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. તે ઘરમાં સુખ-સમૃદ્ધિ વધવાનું સૂચવે છે અને તમારા જીવનમાં સકારાત્મક ઉર્જા પ્રવેશી રહી છે.
વધુ વાંચો: આજે પાપમોચિની એકાદશી: આજના દિવસે અવશ્ય વાંચવી જોઇએ આ કથા, પૂર્ણ કરશે તમામ મનોકામના
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
દેવ દર્શન / તાપીમાં મહાદેવજીનું પૌરાણિક દેવાલય, દ્રોણાચાર્યએ શિવલિંગની સ્થાપના કરી હોવાની લોકવાયકા
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.