બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કૈલાસ માનસરોવર યાત્રા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? કેટલો રૂપિયાનો ખર્ચ થાય? જાણો તમામ માહિતી

ધર્મ / કૈલાસ માનસરોવર યાત્રા માટે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? કેટલો રૂપિયાનો ખર્ચ થાય? જાણો તમામ માહિતી

Last Updated: 06:53 PM, 27 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kailash Mansarovar Yatra 2025: કૈલાસ માનસરોવર યાત્રા છ વર્ષ બાદ 2025માં ફરી શરૂ થઈ રહી છે. ભારત સરકારે ઓનલાઈન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરી છે. આ યાત્રામાં 50 યાત્રાળુઓના 15 બેચ ભાગ લેશે.

કૈલાસ માનસરોવરની યાત્રા 6 વર્ષ બાદ ફરી એક વાર શરૂ થવા જઈ રહી છે. આની માટે ચીને ભારતને મંજૂરી આપી દીધી છે. આ યાત્રામાં સામેલ તીર્થ યાત્રી અલગ-અલગ બે માર્ગોથી પસાર થતાં  માનસરોવર પહોંચશે. વિદેશ મંત્રાલયે યાત્રામાં  સામેલ થતાં યાત્રીઓ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રોસેસ પણ શરૂ કરી દીધી છે. કૈલાસ માનસરોવર યાત્રાના રજીસ્ટ્રેશન શરૂ થયા બાદ યાત્રીઓમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો ચાલો જાણીએ કે રજીસ્ટ્રેશન કેવી રીતે થશે અને ક્યારે યાત્રા શરૂ થશે.  

તીબ્બતમાં આવેલા માનસરોવરની યાત્રા ફરી એક વાર વર્ષ 2025 માં શરૂ થશે. વિદેશ મંત્રાલયે આ સંબંધમાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું પણ શરૂ કરી દીધું છે. યાત્રા વિશે માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું કે આ વર્ષે 50-50 યાત્રીઓના 15 બેચ બનાવવામાં આવશે. આમાંથી 10 બેચને તીર્થયાત્રી સિક્કિમમાં નાથુ લા પાસ દ્વારા માનસરોવર પર્વત સુધી પહોંચશે, જેમને આખી યાત્રા પૂરી કરવામાં 21 દિવસનો સમય લાગશે.

વધુ વાંચો: બસ ત્રણ દિવસ બાકી! અષ્ટાદશ યોગના નિર્માણથી ચમકી ઉઠશે આ રાશિના જાતકોનું ભાગ્ય

કૈલાસ માનસરોવર યાત્રાનું રજીસ્ટ્રેશન ચાલુ

ત્યારે બાકીના 5 બેચના યાત્રાળુઓ ઉત્તરાખંડના લિપુલેખ પાસ દ્વારા તેમની યાત્રા પૂરી કરશે. તેમને કૈલાસ માનસરોવર પહોંચવામાં 22 દિવસ લાગશે. આ યાત્રામાં જોડાવા માંગતા યાત્રાળુઓ ખાસ વેબસાઈટ kmvn.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. અરજદારોમાંથી વાજબી ધોરણે યાત્રાળુઓની પસંદગી કરવામાં આવશે, જે કોમ્પ્યુટર જનરેટ કરવામાં આવશે. આ એક રેન્ડમ અને લિંગ-સંતુલિત પસંદગી પ્રક્રિયા દ્વારા થશે.

વધુ વાંચો: કામ થતાં થતાં અટકી જાય છે, તો ઉકેલ આપશે લીંબુનો આ ટોટકો, રવિવારે આવતા અવરોધો થશે દૂર!

જાણો કેટલો થશે ખર્ચ

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે કૈલાસ માનસરોવર યાત્રા જૂનથી ઓગસ્ટ દરમિયાન યોજવામાં  આવશે. રજીસ્ટ્રેશન વેબસાઇટ પર યાત્રાના ખર્ચ વિશે જણાવવામાં આવ્યું છે. સિક્કિમના રસ્તે યાત્રા કરવાવાળા યાત્રીઓ પાસેથી 2 લાખ 83 હજાર પ્રતિ યાત્રી લેવામાં આવશે. ત્યારે ઉત્તરાખંડના રસ્તે જતાં તીર્થ યાત્રીઓ પાસેથી 1 લાખ 74 હજાર રૂપિયા લેવામાં આવશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે રજીસ્ટ્રેશનથી લઈને યાત્રીઓના નામ શોર્ટલિસ્ટ થયા સુધી બધુ જ ઓનલાઈન પ્રોસેસ હેઠળ થશે. તેથી, અરજદારોને માહિતી મેળવવા માટે પત્રો કે ફેક્સ મોકલવાની જરૂર નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

dharma Kailash Mansarovar online registration
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ