ઘણાં બધા ઘરમાં અને ઓફીસોમાં મની પ્લાન્ટ લગાવવામાં આવે છે. એક માન્યતા અનુસાર મની પ્લાન્ટ લગાવવાથી આર્થિક સ્થિતિ સારી રહે છે તેવી એક લોક માન્યતા રહેલી છે. પરંતુ ક્યારેક આ મની પ્લાન્ટ નુકસાન કરાવી શકે છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર દરેકલ છોડની દિશા નિર્ધારિત કરેલ હોય છે જો તે દિશામાં મની પ્લાન્ટ કે અન્ય છોડ રાખવામાં આવે તો સકારાત્મક ઉર્જા બની રહે છે. અને જો ખોટી દિશામાં રાખવામાં આવે તો લાભને બદલે નુકસાન થાય છે.
વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને આગ્નેશ દિશા એટલે કે દક્ષિણ પુર્વમાં રાખવાથી ફાયદો થાય છે. આ દિશાનો સ્વામી શુક્ર છે. આ દિશામાં મની પ્લાન્ટ રાખવાથી ગણેશજીની કૃપા અવિરત રહેશે. અને શુક્ર ગ્રહ સુખ-સમૃદ્ધિ ભરપુર રાખે છે.
- ભુલથી પણ મની પ્લાન્ટને ઇશાન દિશામાં અથવા ઉત્તર દિશામાં ના રાખવો જોઇએ. તેના કારણે આર્થિક નુકસાન થવાની સંભાવના વધી જાય છે.
- વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર-પુર્વ દિશામાં મની પ્લાન્ટની જગ્યાએ તુલસી લગાવવાથી થાય છે ફાયદો.