બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / વારંવાર દેવું થઇ જાય છે? તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, થશે ધનનો ઢગલો!

વાસ્તુશાસ્ત્ર / વારંવાર દેવું થઇ જાય છે? તો અપનાવો આ વાસ્તુ ટિપ્સ, થશે ધનનો ઢગલો!

Last Updated: 05:13 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે કોઈ વ્યક્તિ લાંબા સમયથી દેવાની સમસ્યાથી પરેશાન હોય તેમના ઘરમાં વાસ્તુ દોષ હોઈ શકે છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે કેટલાક આસાન ઉપાય અજમાવી શકાય છે. તેનાથી દેવું પૂરું થાય છે અને આર્થિક લાભ પણ થાય છે.

Vastu Dosh : હિન્દુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ મહત્વ છે. જેમાં ઘરમાં વાસ્તુ દોષના અનેક કારણો હોઈ શકે છે. વાસ્તુ દોષથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે અને દેવું પણ થઈ શકે છે. જો તમે પણ આ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો વાસ્તુ શાસ્ત્રમાં દર્શાવેલ કેટલાક ઉપાયો જરૂરથી અજમાવો. વાસ્તુ શાસ્ત્ર મુજબ આ ઉપાયોનું પાલન કરવાથી દેવાની સમસ્યા સમાપ્ત થાય છે અને નાણાકીય લાભ પણ થાય છે.

  • દેવાથી મુક્તિ મેળવવાના ઉપાય
  1. વાસ્તુ મુજબ, ઘરમાં ખોટી દિશામાં લગાવેલા અરીસાને કારણે પણ દેવાની સમસ્યા થઈ શકે છે, જેના કારણે વાસ્તુ દોષ થઈ શકે છે. ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં અરીસો ન લગાવવો જોઈએ. આમ કરવાથી વ્યક્તિને જીવનમાં દેવાની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
  2. જો તમે લાંબા સમયથી વાસ્તુ દોષનો સામનો કરી રહ્યા હોવ તો તેનું એક કારણ નળમાંથી ટપકતું પાણી પણ હોઈ શકે છે. જો તમારા ઘરમાં નળમાંથી પાણી ટપકતું હોય તો તેને જલ્દી રિપેર કરાવો. આમ ન કરવાથી દેવાની સમસ્યાઓ થઈ શકે છે.
  3. વાસ્તુ શાસ્ત્ર મુજબ, જો તમે કોઈ પાસેથી પૈસા ઉધાર લઈ રહ્યા હોવ તો મંગળવારે પહેલો હપ્તો ચૂકવો. આ ઉપાય અપનાવવાથી વ્યક્તિ જલ્દી જ દેવાની સમસ્યામાંથી મુક્તિ મેળવી શકે છે.
  4. જો તમને પૈસા ન મળી રહ્યા હોય તો તિજોરી દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખો. તિજોરી ખોટી દિશામાં રાખવાથી જીવનમાં પૈસાની તંગી સર્જાઈ શકે છે, જેના કારણે તમારે લોન પણ લેવી પડી શકે છે. તિજોરીને યોગ્ય દિશામાં રાખવાથી નાણાકીય સ્થિતિમાં સુધારો થઈ શકે છે.

વધુ વાંચો : ભૂલથી પણ ઘરની દીકરીઓ સાથે આ કામ ન કરાવતા, નહીંતર લક્ષ્મીજી નારાજ થઇ જશે

આ સિવાય હિન્દુ ધર્મમાં હનુમાન દાદાની પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે હનુમાન દાદાની પૂજા કરવાથી શુભ ફળ મળે છે. મંગળવારે બજરંગબલીની પૂજા કરવામાં આવે છે.  આ દિવસે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ભગવાનને ગોળ અને ચણાનો અર્પણ કરો. એવી માન્યતા છે કે આ ઉપાય અપનાવવાથી દેવાની સમસ્યામાંથી મુક્તિ મળે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mata Laxmi Vastu Tips VastuShastra
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ