બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / અમદાવાદમાં અગિયારસ માતાનું મૂર્તિમંત સ્વરૂપ ધરાવતું એકમાત્ર મંદિર, 150 વર્ષ જૂનો છે ઈતિહાસ
Last Updated: 06:30 AM, 6 July 2025
અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં અગિયારસ માતાનું મંદિર આવેલું છે. આ એ સ્થાનક છે કે જ્યાં શ્રદ્ધાળુઓને શિવ-શક્તિ બંન્નેના આશીર્વાદની પ્રાપ્તિ થઈ રહી છે. પણ સૌથી મહત્વની વાત તો એ છે કે અહીં માતા એકાદશી મૂર્તિ રૂપે વિદ્યમાન થયા છે કહેવાય છે કે વિશ્વમાં અન્ય કોઈપણ સ્થળ પર આ રીતે માતા અગિયારસના દર્શન નથી થતાં. દેવી અગિયારસનું આવું મૂર્તિ રૂપ બીજે ક્યાંય જોવા નથી મળતું. અને એ જ કારણ છે કે દેવીના આ સૌથી દુર્લભ રૂપના દર્શનાર્થે નિત્ય મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટી પડે છે.
ADVERTISEMENT
લોકવાયકા મુજબ લગભગ ૧૫૦ વર્ષ પહેલા નવા વાડજ ગામે તળાવ ખોદતા માતા અંબાની સ્વયંભૂ પ્રતિમા મળી આવી હતી. ભક્તોએ આસ્થા સાથે નાનકડી દેરી બનાવી માતાની મૂર્તિની સ્થાપના કરી. મૂર્તિ સ્થાપનાનો તે દિવસ અગિયારસનો હોઈ દેવી અગિયારસ માતાના નામે પ્રસિદ્ધ થયા. મોટાભાગે શ્રદ્ધાળુઓ તેમને માતા અગિયારસીનું જ સંબોધન કરે છે. અને અહીં અગિયારસની તિથિએ માતાના દર્શનનો સવિશેષ મહિમા છે.
ADVERTISEMENT
ગર્ભગૃહ મધ્યે માતા અગિયારસની એકદમ નાનકડી પ્રતિમા વિદ્યમાન છે. સાદગીપૂર્ણ શણગાર સાથે શોભતી દેવીની આ પ્રતિમા અત્યંત ભાવવાહી ભાસે છે. આ અગિયારસ માતા મા અંબાની જેમ જ નિત્ય તેમનું વાહન બદલે છે. કારણ કે તે મૂળે તો દેવી અંબાનું જ સ્વરૂપ મનાય છે. વાડજ ગામમાં રહેતા ભાવિકોને અગિયારસ માતાજીમાં અતૂટ શ્રદ્ધા છે. વર્ષોથી તેઓ નિયમિત માતાજીના મંદિરે અચૂક દર્શન કરવા આવે છે.
ADVERTISEMENT
મંદિરમાં માતાજીની અખંડ જ્યોત આવેલી છે. વાસ્તવમાં તો જગતજનની ભવાની માતા જ અહીં અગિયારસ માતા તરીકે પૂજાઈ રહ્યા છે. અગિયારસ માતાના મંદિરમાં જ ભગવાન શિવનું મંદિર આવેલુ છે. ભગવાન શિવ પાર્વતી સહિત અનેક દેવી દેવતાની મંદિરમાં સ્થાપના કરવામાં આવી છે.
ADVERTISEMENT
અગિયારસી માતાનું મંદિર વહેલી સવારે ૫ વાગ્યે ખોલવામાં આવે છે. માતાજીને સ્ન્નાન કરાવી શણગાર કરવામાં આવે છે. સવાર સાંજ માતાજીની આરતી કરવામાં આવે છે. માતાજીને થાળ અર્પણ કરવામાં આવે છે. .એકાદશીના દિવસે પ્રભુનું નામ સ્મરણ માત્ર કરવાથી ભક્તો ભવબંધનને પાર ઉતરી જતાં હોય છે. તેથી અગિયારસના દિવસે માતાજીના મંદિરે ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ દેવશયની એકાદશીનું વ્રત ભૂલથી તૂટી જાય તો શું કરવું? આ ઉપાયોથી મળશે પૂર્ણ ફળ
ADVERTISEMENT
લોકો દુર દુર થી માતાજીના દર્શને આવી ધન્ય થાય છે. અગિયારસ માતાના દર્શને આવતા શ્રદ્ધાળુઓ શ્રીફળ, પેડા અને સુખડીની માનતા માને છે. અને માનતા પૂર્ણ થતાં માને શ્રીફળ, પેડા અને સુખડી અર્પણ કરવા પહોંચી જાય છે. કહેવાય છે કે આસ્થા સાથે અહીં આવનારને માતા અગિયારસ ક્યારેય નિરાશ નથી કરતા . મહિલાઓનું ભજન મંડળ દરરોજ મંદિરમાં ભજન કિર્તન કરી મંદિર પરિસરના વાતાવરણને ભક્તિમય બનાવે છે.
અગિયારસ માતાના મંદિર તરફથી શ્રી નવાવાડજ ધાર્મિક અને કેળવણી ટ્રસ્ટ ચલાવવામાં આવે છે. આ ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારની સેવાઓ આપવામાં આવે છે. બાળકોને ભણવામાં માટે આર્થિક મદદ કરવામાં આવે છે. લગ્નમાં માટે પાર્ટી પ્લોટ રાહત દરે આપવામાં આવે છે. શ્રી નવાવાડજ ધાર્મિક અને કેળવણી ટ્રસ્ટ તરફથી મેડીકલ કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે..
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.