બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Daily Horoscope / રસાણા ગામે વીર મહારાજનું 250 વર્ષ જૂનું મંદિર, શ્રદ્ધા સાથે માનતા રાખવાથી મળે છે મનોવાંચ્છિત ફળ

દેવ દર્શન / રસાણા ગામે વીર મહારાજનું 250 વર્ષ જૂનું મંદિર, શ્રદ્ધા સાથે માનતા રાખવાથી મળે છે મનોવાંચ્છિત ફળ

Last Updated: 06:30 AM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જ્યાં શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની કોઇ જરૂર હોતી નથી. ભારતમાં અનેક એવા મંદિરો આવેલા છે જ્યાં શ્રદ્ધા સાથે માનતા રાખવાથી મનોવાંચ્છિત ફળ મળે છે. બનાસકાંઠાના રસાણા ગામે 250 વર્ષ જૂનું વીર મહારાજનું મંદિર આવેલું છે. વીર મહારાજના મંદિરે દૂરદૂરથી આવતા ભાવિક ભક્તો દાદા સમક્ષ પોતાની મનોકામના વ્યક્ત કરે અને તે ચોક્કસ પૂર્ણ થવાની લોકમાન્યતા છે. આજે દેવદર્શનમાં આપણે વીર મહારાજના દર્શન કરી, જાણીશું કે ભાવિકોની કઈ મનોકામના અહિં દર્શન કરી પૂર્ણ થાય છે.

બનાસકાંઠાના ડીસાથી 10 કિલોમીટરના અંતરે આવેલા રસાણા ગામમાં 250 વર્ષ પૌરાણિક વીર મહારાજનું મંદિર આવેલું છે. આ મંદિરમાં વીર મહારાજ, મેલડી માતાજી અને ચામુંડા માતાજીની મૂર્તિની સ્થાપના કરેલી છે. અઢીસો વર્ષથી આ મંદિરની સાથે દેશના અનેક રાજ્યોના લોકોની આસ્થા જોડાયેલી છે. લોકો દૂરદૂરથી આ મંદિરે દર્શન કરવા માટે આવે છે.

ભાવિક ભક્તો સંતાન પ્રાપ્તિ અને નોકરી માટે પણ વીર મહારાજ સમક્ષ પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. અને જ્યારે તેમની મનોકામના પૂર્ણ થાય ત્યારે નારીયેળ ચડાવી દાદાનો આભાર માને છે. વીર મહારાજના મંદિરે દર રવિવારે ભક્તો મોટી સંખ્યામાં સમગ્ર ભારતભરમાંથી દર્શન કરવા માટે આવે છે અને ભક્તો પોતાનામાં રહેલી શ્રદ્ધા અને આસ્થા સાથે માથું ટેકવી દર્શન કરી ધન્યતા અનુભવે છે.

વધુ વાંચો: એક વર્ષ સુધી રૂપિયા ગણતા થાકશો! 14 મેથી પાંચ રાશિના જાતકો માટે ગોલ્ડન ટાઈમ શરૂ

ડીસાના રસાણા ગામે આવેલું વીર મહારાજનું મંદિર ભાવિકોની આસ્થાનું મોટું કેન્દ્ર છે. મંદિરે આવતા ભક્તો માટે ગામના લોકોએ તમામ પ્રકારની વ્યવસ્થા ઊભી કરીને ભક્તિ સાથે સેવાનું કાર્ય કરીને વીર મહારાજ પ્રત્યેની આસ્થાનું ઉત્તમ ઉદાહરણ પુરુ પાડે છે. ભક્તો અહીંયા પોતાની શ્રદ્ધા અને આસ્થાથી બાધા રૂપે પ્રસાદી ચડાવે છે.

વીર મહારાજનું મંદિર રોજ સવારે 07:00 વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી ખુલ્લું રહે છે અને દર રવિવારે ગ્રામજનો ભક્તો માટે ખાસ વ્યવસ્થા કરે છે રવિવારે અહીં મોટી સંખ્યામાં ભક્તો મંદિરે આવે ત્યારે મેળાનો માહેલ સર્જાય છે. અને દર પાંચમે મંદિરે મેળો ભરાય છે ત્યારે ભાવિકો આસ્થા અને ભક્તિ સાથે દર્શન કરવા માટે સમગ્ર દેશભરમાંથી મંદિરે આવે છે.

મંદિરે આવતા ભક્તો માટે મંદિરના પૂજારી અને ગ્રામજનો લાડુ, દાળ ભાતની પ્રસાદી અને ચા પાણીની વ્યવસ્થા કરે છે. મોટી સંખ્યામાં ભક્તો વીર મહારાજના દર્શન કરી ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્ય થાય છે. આમ ડીસાના રસાણા ગામ ખાતે આવેલું વીર મહારાજનું મંદિર સમગ્ર વિશ્વના લોકો માટે એક આસ્થાનું પ્રતીક બન્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

banaskantha Vir Maharaj Temple Rasana town
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ