બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે પરશુરામ જયંતિ, રાશિ અનુસાર અપનાવો આ ઉપાય, મળશે સુખ-શાંતિ અને વૈભવ

ધર્મ / આજે પરશુરામ જયંતિ, રાશિ અનુસાર અપનાવો આ ઉપાય, મળશે સુખ-શાંતિ અને વૈભવ

Last Updated: 12:46 PM, 29 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ ધર્મમાં ભગવાન પરશુરામ જયંતિનું ખાસ મહત્વ છે. ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર તરીકે પરશુરામજીનો જન્મ થયો હતો. તેમને વિષ્ણુજીનો ઉગ્ર અવતાર માનવામાં આવે છે, તેમ છતાં તેમની પૂજા કરવાથી વ્યક્તિને જ્ઞાન, ધન, સાહસ અને શૌર્ય મળે છે. ચાલો જાણીએ કે કઈ રાશિવાળાએ શુ અર્પણ કરવું જોઈએ?

જ્યોતિષ શાસ્ત્ર મુજબ, જો આ દિવસે રાશિ અનુસાર ભગવાન પરશુરામને ખાસ વસ્તુઓ અર્પણ કરવામાં આવે તો જાતકને ઘણી મુશ્કેલીઓમાંથી મુક્તિ મળી શકે છે. ચાલો જાણીએ કે કઈ રાશિવાળાએ શુ અર્પણ કરવું જોઈએ?

મેષ રાશિ

  • લાલ ફૂલોની માળા અને પીળા ચંદનથી ભગવાન પરશુરામની પૂજા કરો.
  • આથી ઘરમાં સમૃદ્ધિ અને ખુશહાલી આવશે.

વૃષભ રાશિ

  • સફેદ ફૂલો અને એક લોટો દૂધ ભગવાન પરશુરામને અર્પણ કરો.
  • આથી જીવનમાં સ્થિરતા અને સુખ-સમૃદ્ધિ વધશે.

મિથુન રાશિ

  • લીલાં ફૂલો અને મધ સાથે પૂજા કરો.
  • આ ઉપાય તમારી મુશ્કેલી અને પરેશાનીઓનો અંત લાવશે.

કર્ક રાશિ

  • વિષ્ણુ ભગવાન અને પરશુરામજીની સંયુક્ત આરાધના કરો.
  • સાથે સફેદ ફૂલો અને પીળું ચંદન અર્પણ કરો. આથી જીવનમાં શાંતિ સર્જાશે.

સિંહ રાશિ

  • લાલ ફૂલો અને મધથી ભગવાન પરશુરામની ભક્તિ કરો.
  • આથી આત્મબળ અને સફળતા પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

  • ફૂલો અને ચંદન અર્પણ કરો.
  • આથી ઇશ્વરકૃપા પ્રાપ્ત થશે અને ઘરમાં આનંદ અને પ્રેમનું વાતાવરણ રહેશે.

તુલા રાશિ

  • સફેદ ફૂલો અને દૂધ સાથે ભગવાન પરશુરામની પૂજા કરો.
  • આથી જીવનમાં શાંતિ અને સકારાત્મકતા વધશે.

વૃશ્ચિક રાશિ

  • લાલ ફૂલો અને ચંદન અર્પણ કરીને પૂજા કરો.
  • આ ઉપાય તમારા ઘરમાં પ્રેમ અને સૌભાગ્ય લાવશે.

ધન રાશિ

  • લાલ ફૂલો અને મધ સાથે ભગવાન પરશુરામની આરાધના કરો.
  • આથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે.

મકર રાશિ

  • ફૂલો અને ચંદનથી પૂજા કરો.
  • આ ઉપાય આર્થિક સંકટો દૂર કરીને જીવનમાં ખુશહાલી લાવશે.

કુંભ રાશિ

  • સફેદ ફૂલો અને દૂધ અર્પણ કરો.
  • આથી તમારી અધૂરી મનોકામનાઓ વહેલી તકે પૂર્ણ થઈ શકે છે.

મીન રાશિ

  • ફૂલો અને મધ સાથે ભગવાન પરશુરામની પૂજા કરો.
  • આથી સંબંધોમાં પ્રેમ વધશે અને કુટુંબજન પરિબળોમાં થતો તણાવ દૂર થશે.

વધુ વાંચો: શરીરના આ અંગો પર તલ હોવું અશુભ મનાય છે, આવે છે અનેક મુશ્કેલી, તમારે તો નથી ને!

આ ઉપાય એ આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે, તેનાથી મન અને મનોબળ પર સકારાત્મક અસર થાય છે. જે વ્યક્તિ આ ધાર્મિક ક્રિયાઓ શ્રદ્ધાપૂર્વક કરે છે, તેઓના મનમાં શાંતિ, શ્રદ્ધા અને આત્મવિશ્વાસ ઉત્પન્ન થાય છે, જેના કારણે તેઓ જીવનમાં પડકારોનો વધુ સારી રીતે સામનો કરી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

zodiac sign astrology Parashuram Jayanti 2025
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ