બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે શુક્ર પ્રદોષ વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પૂજાની સંપૂર્ણ વિધિ

ધર્મ / આજે શુક્ર પ્રદોષ વ્રત, જાણો શુભ મુહૂર્ત અને પૂજાની સંપૂર્ણ વિધિ

Last Updated: 10:42 AM, 9 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુક્ર પ્રદોષ વ્રતનું મહત્વ વિશેષ ગણાય છે. એવી માન્યતાઓ છે કે શુક્ર પ્રદોષ વ્રત રાખવાથી સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવ સાથે માતા પાર્વતીની પણ પૂજા કરવામાં આવે છે.જાણો મુહૂર્ત અને પૂજાની સંપૂર્ણ વિધિ.

પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત હોય છે. દર મહિને ત્રયોદશી તિથિ એ આ વ્રત મનાવવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિનું પ્રદોષ વ્રત 9 મેના રોજ એટલે કે આજે મનાવવામાં આવશે. શુક્રવારના દિવસે આવતું હોવાથી આને શુક્ર પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ વ્રતનું મહત્વ વિશેષ છે. માન્યતા છે કે આ વ્રત અને પૂજા કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.

શુક્ર પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત

હિંદુ પંચાંગ મુજબ વૈશાખ શુક્લ ત્રયોદશી 9 મેના રોજ બપોરે 2 વાગ્યાને 56 મિનિટથી શરૂ થઈ 10 મેના રોજ સાંજે 5 વાગ્યા 29 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિના કારણે શુક્ર પ્રદોષ વ્રત 9 મેના રોજ એટલે કે આજે રાખવામાં આવશે. શિવપૂજાનું શુભ મુહૂર્ત સાંજે 7 વાગ્યાને 1 મિનિટથી રાત્રે 9 વાગ્યાને 8 મિનિટ સુધી રહેશે.

પ્રદોષ વ્રત પૂજન વિધિ

શુક્ર પ્રદોષ વ્રત કરવા માટે ત્રયોદશીના દિવસે સૂર્યોદયથી પહેલાં ઉઠી જવું. સ્નાન કરીને સફેદ કે આછા ગુલાબી રંગના સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતનો સંકલ્પ લો. પછી બીલીપત્ર , અક્ષત, દીવો, ધુપ, ગંગાજળ વગેરેથી ભગવાન શિવની પૂજા કરો. આ વ્રતમાં ભોજન લેવામાં આવતું નથી, એટલે નિરાહાર રહો અને ફક્ત પાણીનું સેવન કરો.

pooja

સાંજના સમયે, એટલે કે પ્રદોષ કાળ પહેલાં ફરીથી સ્નાન કરો. પછી ઉત્તર-પૂર્વ દિશામાં મોઢું રાખીને કુશના આસન પર બેસો. ભગવાન શિવને જળથી સ્નાન કરાવી ચોખા, ધુપ, દીવો દ્વારા પૂજા કરો. ભગવાન શિવને ચોખાની ખીર અને ફળો અર્પણ કરો. અંતે "ૐ નમઃ શિવાય" મંત્રનો 108 વાર જાપ કરો.

શું કરવું અને શું ન કરવું?

  • પ્રદોષ વ્રત દરમિયાન કાળા રંગના કપડા પહેરીને પૂજા ન કરવી.
  • જો તમે વ્રત રાખો છો તો કોઈને અપશબ્દ ન બોલવા અને કોઈનું અપમાન ન કરવું.
  • ભગવાન શિવની પૂજામાં તુલસીનો ઉપયોગ ન કરવો.
  • આ દિવસે લીલા, લાલ, સફેદ, કેસરીયા અથવા પીળા રંગના કપડા પહેરી શકાય છે.
  • શિવજીને હળદર, સિંદૂર અથવા કેતકીનું ફૂલ અર્પિત કરવું જોઈએ નહીં.

વધુ વાંચો: ડગલું ડગલું 'યુદ્ધ' તરફ, શું સત્ય થવાની છે ભારત-પાકિસ્તાન વૉરની ભવિષ્યવાણી?

ભાગદોડભર્યા જીવનમાં થોડી ક્ષણો શિવભક્તિ માટે કાઢવી આધ્યાત્મિક સંતુલન આપે છે. શુક્રપ્રદોષ વ્રત ધ્યાન, મૌન અને તપ માટે યોગ્ય સમય છે. માનસિક શાંતિ, ચિંતામુક્તિ અને લાગણીશીલ સંતુલન માટે પણ આ દિવસ વિશેષ છે.

Vtv App Promotion 2

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Puja Ritual Lord Shiva Shukra Pradosh Vrat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ