બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 10:42 AM, 9 May 2025
પ્રદોષ વ્રત ભગવાન શિવને સમર્પિત હોય છે. દર મહિને ત્રયોદશી તિથિ એ આ વ્રત મનાવવામાં આવે છે. વૈશાખ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશી તિથિનું પ્રદોષ વ્રત 9 મેના રોજ એટલે કે આજે મનાવવામાં આવશે. શુક્રવારના દિવસે આવતું હોવાથી આને શુક્ર પ્રદોષ વ્રત કહેવામાં આવે છે. આ વ્રતનું મહત્વ વિશેષ છે. માન્યતા છે કે આ વ્રત અને પૂજા કરીને ભગવાન શિવ અને માતા પાર્વતીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે.
ADVERTISEMENT
શુક્ર પ્રદોષ વ્રતનું શુભ મુહૂર્ત
હિંદુ પંચાંગ મુજબ વૈશાખ શુક્લ ત્રયોદશી 9 મેના રોજ બપોરે 2 વાગ્યાને 56 મિનિટથી શરૂ થઈ 10 મેના રોજ સાંજે 5 વાગ્યા 29 મિનિટ સુધી રહેશે. ઉદયા તિથિના કારણે શુક્ર પ્રદોષ વ્રત 9 મેના રોજ એટલે કે આજે રાખવામાં આવશે. શિવપૂજાનું શુભ મુહૂર્ત સાંજે 7 વાગ્યાને 1 મિનિટથી રાત્રે 9 વાગ્યાને 8 મિનિટ સુધી રહેશે.
ADVERTISEMENT
પ્રદોષ વ્રત પૂજન વિધિ
શુક્ર પ્રદોષ વ્રત કરવા માટે ત્રયોદશીના દિવસે સૂર્યોદયથી પહેલાં ઉઠી જવું. સ્નાન કરીને સફેદ કે આછા ગુલાબી રંગના સ્વચ્છ વસ્ત્રો પહેરો અને વ્રતનો સંકલ્પ લો. પછી બીલીપત્ર , અક્ષત, દીવો, ધુપ, ગંગાજળ વગેરેથી ભગવાન શિવની પૂજા કરો. આ વ્રતમાં ભોજન લેવામાં આવતું નથી, એટલે નિરાહાર રહો અને ફક્ત પાણીનું સેવન કરો.
સાંજના સમયે, એટલે કે પ્રદોષ કાળ પહેલાં ફરીથી સ્નાન કરો. પછી ઉત્તર-પૂર્વ દિશામાં મોઢું રાખીને કુશના આસન પર બેસો. ભગવાન શિવને જળથી સ્નાન કરાવી ચોખા, ધુપ, દીવો દ્વારા પૂજા કરો. ભગવાન શિવને ચોખાની ખીર અને ફળો અર્પણ કરો. અંતે "ૐ નમઃ શિવાય" મંત્રનો 108 વાર જાપ કરો.
શું કરવું અને શું ન કરવું?
વધુ વાંચો: ડગલું ડગલું 'યુદ્ધ' તરફ, શું સત્ય થવાની છે ભારત-પાકિસ્તાન વૉરની ભવિષ્યવાણી?
ભાગદોડભર્યા જીવનમાં થોડી ક્ષણો શિવભક્તિ માટે કાઢવી આધ્યાત્મિક સંતુલન આપે છે. શુક્રપ્રદોષ વ્રત ધ્યાન, મૌન અને તપ માટે યોગ્ય સમય છે. માનસિક શાંતિ, ચિંતામુક્તિ અને લાગણીશીલ સંતુલન માટે પણ આ દિવસ વિશેષ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.