બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / આ રાશિના જાતકોને મોટું નુકસાન થવાના સંકેત, કારણ કે 8 દિવસ બાદ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન
Last Updated: 03:21 PM, 21 April 2025
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે. શનિ હંમેશાં કર્મો મુજબ ફળ આપે છે.હાલમાં શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. શનિને પોતાના જ નક્ષત્રમાં પાછા ફરવામાં 27 વર્ષનો સમય લાગે છે.
ADVERTISEMENT
શનિ ગ્રહ
શનિ ગ્રહ ધીરે ધીરે ગતિ કરે છે અને દરેક નક્ષત્રમાં લાંબો સમય વિતાવે છે. 28 એપ્રિલ, 2025ના રોજ શનિ પોતાનો નક્ષત્ર બદલીને "ઉત્તરાભાદ્રપદ" નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ એ જ નક્ષત્ર છે જે શનિનું પોતાનું ગણાય છે. એક પ્રકારથી કહીએ તો શનિ 'ઘર વાપસી' કરશે અને એ 'ઘર'માં શનિ વધુ શક્તિશાળી અને કડક ન્યાય આપનારા બની જાય છે.
ADVERTISEMENT
શનિનો નક્ષત્ર પરિવર્તન દરેક રાશિ પર અલગ અસર કરે છે, પણ ખાસ કરીને 4 રાશિઓ માટે આ સમય વધુ સંભાળપૂર્વક જીવવાનો રહેશે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકોને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સરકારી કામોમાં વિલંબ થઈ શકે છે. ખર્ચામાં પણ વધારો થશે. મેષ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. ગુસ્સો આવી શકે છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે.
મિથુન રાશિ
મિથુન રાશિના લોકોના કામ બગડી શકે છે. બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. ઘરમાં ક્લેશ અથવા વિવાદ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે. મહત્વના કામ થોડો સમય અટકી જશે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકો માટે કારકિર્દી અંગે સાવચેત રહેવું જરૂરી છે. કેટલીક પડકારજનક પરિસ્થિતિઓ આવી શકે છે.આવનારા પાંચ મહિના માટે સાવચેત રહેવું પડશે. રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચાર કરવો.
કન્યા રાશિ
માનસિક તણાવ વધે તેવાં યોગ બનશે. કામમાં વધુ મહેનત છતાં વિલંબ થશે. પરિવારના સભ્યો સાથે વિવાદ સર્જાઈ શકે છે. આરોગ્ય પર પણ થોડી અસર જોવા મળશે.
શનિ ગ્રહથી શાંતિ માટે ઉપાય
વધુ વાંચો: આ રાશિના જાતકોની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો, વસુમતી યોગ પણ નહીં કરાવે લાભ
શનિનું નક્ષત્ર પરિવર્તન ચિંતાનો વિષય નહીં, પણ સાવચેત રહેવાનો સંકેત છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં શિસ્ત, મહેનત અને નમ્રતા લાવે છે, શનિ તેમના માટે આશીર્વાદરૂપ બની શકે છે. શનિદેવને વિનમ્રતા અને શ્રદ્ધાથી પ્રસન્ન રાખી શકાય.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.