બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ રાશિના જાતકોને મોટું નુકસાન થવાના સંકેત, કારણ કે 8 દિવસ બાદ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન

જ્યોતિષ શાસ્ત્ર / આ રાશિના જાતકોને મોટું નુકસાન થવાના સંકેત, કારણ કે 8 દિવસ બાદ શનિ કરશે નક્ષત્ર પરિવર્તન

Last Updated: 03:21 PM, 21 April 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજથી 8 દિવસ પછી એટલે કે 28 એપ્રિલે શનિ નક્ષત્ર પરિવર્તન કરવા જઇ રહ્યાં છે. શનિ પોતાના જ નક્ષત્ર ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે.જાણો કઈ રાશિઓને થશે નુકશાન?

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિને ન્યાયના દેવતા તરીકે માનવામાં આવે છે. શનિ હંમેશાં કર્મો મુજબ ફળ આપે છે.હાલમાં શનિ પૂર્વાભાદ્રપદ નક્ષત્રમાં બિરાજમાન છે. શનિને પોતાના જ નક્ષત્રમાં પાછા ફરવામાં 27 વર્ષનો સમય લાગે છે.

શનિ ગ્રહ

શનિ ગ્રહ ધીરે ધીરે ગતિ કરે છે અને દરેક નક્ષત્રમાં લાંબો સમય વિતાવે છે. 28 એપ્રિલ, 2025ના રોજ શનિ પોતાનો નક્ષત્ર બદલીને "ઉત્તરાભાદ્રપદ" નક્ષત્રમાં પ્રવેશ કરશે. આ એ જ નક્ષત્ર છે જે શનિનું પોતાનું ગણાય છે. એક પ્રકારથી કહીએ તો શનિ 'ઘર વાપસી' કરશે અને એ 'ઘર'માં શનિ વધુ શક્તિશાળી અને કડક ન્યાય આપનારા બની જાય છે.

shani dev aa

શનિનો નક્ષત્ર પરિવર્તન દરેક રાશિ પર અલગ અસર કરે છે, પણ ખાસ કરીને 4 રાશિઓ માટે આ સમય વધુ સંભાળપૂર્વક જીવવાનો રહેશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને આરોગ્ય સંબંધિત મુશ્કેલીઓ ઊભી થઈ શકે છે. મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. સરકારી કામોમાં વિલંબ થઈ શકે છે. ખર્ચામાં પણ વધારો થશે. મેષ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું જરૂરી છે. ગુસ્સો આવી શકે છે, જે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

મિથુન રાશિ

મિથુન રાશિના લોકોના કામ બગડી શકે છે. બિનજરૂરી ખર્ચમાં વધારો થશે. ઘરમાં ક્લેશ અથવા વિવાદ થઈ શકે છે. આર્થિક સ્થિતિ પર અસર થઈ શકે છે. મહત્વના કામ થોડો સમય અટકી જશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે કારકિર્દી અંગે સાવચેત રહેવું જરૂરી છે. કેટલીક પડકારજનક પરિસ્થિતિઓ આવી શકે છે.આવનારા પાંચ મહિના માટે સાવચેત રહેવું પડશે. રોકાણ કરતાં પહેલાં સારી રીતે વિચાર કરવો.

astrology

કન્યા રાશિ

માનસિક તણાવ વધે તેવાં યોગ બનશે. કામમાં વધુ મહેનત છતાં વિલંબ થશે. પરિવારના સભ્યો સાથે વિવાદ સર્જાઈ શકે છે. આરોગ્ય પર પણ થોડી અસર જોવા મળશે.

શનિ ગ્રહથી શાંતિ માટે ઉપાય

  • શનિવારના દિવસે પીપળાના વૃક્ષ નીચે દીવો પ્રગટાવો
  • “ૐ શનિશ્ચરાય નમઃ” મંત્રનો જાપ કરો
  • કાળી અળદની દાળ દાન કરો અથવા શનિ મંદિરમાં તેલ ચઢાવો
  • વૃદ્ધો, દરિદ્રો અને નમ્ર લોકોની મદદ કરો કારણ કે શનિ તેવા કાર્યોની પ્રશંસા કરે છે
  • પોતાના ગુસ્સા અને ઈર્ષા પર નિયંત્રણ રાખવું

વધુ વાંચો: આ રાશિના જાતકોની મુશ્કેલીમાં થઇ શકે છે વધારો, વસુમતી યોગ પણ નહીં કરાવે લાભ

શનિનું નક્ષત્ર પરિવર્તન ચિંતાનો વિષય નહીં, પણ સાવચેત રહેવાનો સંકેત છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં શિસ્ત, મહેનત અને નમ્રતા લાવે છે, શનિ તેમના માટે આશીર્વાદરૂપ બની શકે છે. શનિદેવને વિનમ્રતા અને શ્રદ્ધાથી પ્રસન્ન રાખી શકાય.

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

planet zodiac sign Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ