બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / માર્ગ દુર્ઘટના કે ઓચિંતા મોતનો ડર છે? તો જરૂરથી અપનાવો પ્રેમાનંદજીના આ 5 સુરક્ષા કવચ

શ્રદ્ધા / માર્ગ દુર્ઘટના કે ઓચિંતા મોતનો ડર છે? તો જરૂરથી અપનાવો પ્રેમાનંદજીના આ 5 સુરક્ષા કવચ

Last Updated: 09:48 AM, 25 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવન અમૂલ્ય છે અને તેને બચાવવા માટે જો થોડા નાના નિયમો અપનાવવાના પડે, તો તેમાં કંઈ હાનિ નથી. જો માર્ગ દુર્ઘટના કે ઓચિંતા મોતનો ડર લાગતો હોય તો તેના માટે પ્રેમાનંદજી મહારાજ દ્વારા આપવામાં આવેલા ખૂબ સરળ પરંતુ અસરકારક ઉપાય વિશે જાણીએ.

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેનું જીવન લાંબુ અને સુખદ હોય, પરંતુ ઘણી વાર એવું જોવા મળે છે કે કોઈ પણ બીમારી કે કારણ વગર કોઈનું અચાનક મોત થઇ જાય છે કે પછી કોઈ ગંભીર માર્ગ અકસ્માતનો શિકાર બની જાય છે. જેને સામાન્ય ભાષામાં અકાળ મૃત્યુ કહેવાય છે. ઘણીવાર આવી ઘટનાઓ ત્યારે થાય છે જ્યારે વ્યક્તિ જીવનમાં ખૂબ જ ખુશ કે સફળ હોય છે.

અવા સંજોગોમાં પ્રશ્ન ઉઠે છે, શું તેનો બચાવ કોઈ રીતે થઈ શકે? શું એવું કશુંક કરવું શક્ય છે કે જેના થકી આપણું જીવન સુરક્ષિત રહી શકે?

પ્રેમાનંદજી મહારાજ તેમના પ્રવચનોમાં આ પ્રશ્નનો બહુ સરળ જવાબ આપે છે. તેઓ કહે છે કે જો વ્યક્તિ રોજિંદા જીવનમાં થોડા નિયમો અપનાવે, તો અકાળ મૃત્યુ કે મોટા અકસ્માતથી બચી શકાય છે.

ચાલો જાણીએ પ્રેમાનંદજી મહારાજના જણાવ્યા પ્રમાણે તે 5 નિયમો જે માણસની આયુ વધારી શકે છે અને જીવનની અનિચ્છનીય મુશ્કેલીઓથી બચાવી શકે છે:

દરરોજ ભગવાન કૃષ્ણનું ચરણામૃત પીવું

પ્રેમાનંદજી મહારાજ કહે છે કે દરરોજ સવારે ભગવાન કૃષ્ણનું ચરણામૃત જરૂર પીવું જોઈએ. તેની અસર માત્ર શરીર પર નહીં પણ આત્મા પર પણ પડે છે. તેમનું માનવું છે કે જે વ્યક્તિ દરરોજ ચરણામૃત પીવે છે, તેનો પુનર્જન્મ થતો નથી અને અકાળ મૃત્યુના યોગ પણ દૂર થઈ જાય છે.

ઘરની બહાર જતા પહેલા મંત્ર જપવો

જ્યારે પણ તમે ઘરની બહાર જાઓ ત્યારે એક નાનો મંત્ર ઓછામાં ઓછો 11 વાર જરૂર જપવો: “કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને, પ્રણતઃ ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ” પ્રેમાનંદજી કહે છે કે આ મંત્રની અસર બહુ ઊંડી હોય છે. તે તમને અકસ્માતોથી બચાવે છે અને જો કોઈ મુશ્કેલી આવે પણ તો તેની અસર ઓછી થઈ જાય છે.

premannad-ji-mharaj

ભગવાન સામે નામ સ્મરણ કરવું

દરરોજ ઓછામાં ઓછું 20 થી 30 મિનિટ સુધી માત્ર તમારા ભગવાનનું નામ લો. જે નામ તમારા મનને શાંતિ આપે, એ જ લો. પ્રેમાનંદજી કહે છે કે ભગવાનના નામનું સ્મરણ કરવાથી અકાળ મૃત્યુના ભયને ખૂબ અંશે ઓછું કરી શકાય છે.

દરરોજ કરો 11 વાર દંડવત્ પ્રણામ

તમારા ઘરમાં જ્યાં ભગવાન બિરાજમાન છે, ત્યાં દરરોજ 11 વાર દંડવત્ પ્રણામ કરો. પ્રેમાનંદજી મહારાજના અનુસાર, તેની અસર 10 અશ્વમેધ યજ્ઞ જેટલી હોય છે. એટલું પુણ્ય બીજાં કોઈ કામથી મળતું નથી અને જે આ કરે છે, તેનો પુનર્જન્મ થતો નથી.

માથા પર લગાવો વૃંદાવનની રજ

પ્રેમાનંદજી મહારાજના જણાવ્યા પ્રમાણે, વૃંદાવનની પવિત્ર રજમાં બહુ ઊર્જા હોય છે. તેને તમારા માથાના મધ્યમાં થોડું લગાવો. તેની અસર નકારાત્મક શક્તિઓ અને અકાળ મૃત્યુના યોગોને દૂર કરે છે.

વધુ વાંચો: મુંગલપુરમાં મેલડી માતાજીનું વર્ષો પુરાણું મંદિર, શ્રધ્ધાળુઓ રાખે છે તાવાની માનતા

પ્રેમાનંદજી મહારાજના આ સરળ અને આધ્યાત્મિક ઉપાયો વ્યક્તિના જીવનમાં શાંતિ, સુરક્ષા અને દીર્ઘાયુ લાવી શકે છે. રોજિંદા જીવનમાં નાના નિયમો અપનાવીને અકાળ મૃત્યુ અને અકસ્માત જેવી અણધારી ઘટનાઓથી બચી શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Premanand Maharaj Religion Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ