કુંડળીમાં ગ્રહોનાં સારા પ્રભાવ પાડવા માટે અનેક રત્નોનો ઉપયોગ કરવામાં આવે છે. આ રત્નોને સમૃદ્ધિનું પ્રતિક માનવામાં આવે છે. આવો જાણીએ આ 3 ખાસ રત્નો વિશે.
કુંડળીમાં ગ્રહોની સ્થિતિને કારણે વ્યક્તિને મહેનત કરવા છતાં ફળ નથી મળતું
રત્નશાસ્ત્રમાં આવા ઘણા રત્નો વિશે જણાવવામાં આવ્યું છે
રત્નો ને ધારણ કરીને ઘણાં ફાયદાઓ થાય છે
ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે દરેક વ્યક્તિ ખૂબ મહેનત કરે છે. પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકે છે, તેના માટે શક્ય તમામ પ્રયાસો કરે છે. પરંતુ ઘણી વખત કુંડળીમાં ગ્રહોની સ્થિતિને કારણે વ્યક્તિને મહેનત કરવા છતાં ફળ નથી મળી શકતું. આવી સ્થિતિમાં વ્યક્તિને ઘણી વખત આર્થિક તંગીનો પણ સામનો કરવો પડે છે. સાથે જ રત્નશાસ્ત્રમાં અનેક ગ્રહોની સારી અસરો વધારવા માટે મનુષ્યની કુંડળીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આવો જાણીએ આવા જ 3 ખાસ રત્નો વિશે.
જેડ સ્ટોન
રત્નશાસ્ત્રમાં આવા ઘણા રત્નો વિશે જણાવવામાં આવ્યું છે, જે ખૂબ જ ફાયદાકારક છે. આમાંથી એક રત્નનું નામ જેડ સ્ટોન છે. તેને ઘારણ કરવાથી વ્યક્તિ આર્થિક રીતે મજબૂત બને છે. એટલું જ નહીં વ્યક્તિની કામ પ્રત્યે એકાગ્રતા વધે છે અને બુદ્ધિનો વિકાસ થાય છે. જેડ સ્ટોન રત્ન નીલમણિનું ઉપરત્ન છે, જે આર્થિક સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. આ રત્નની મદદથી વ્યક્તિ યોગ્ય વ્યાપારિક નિર્ણયો લઈ શકે છે અને આવકના નવા સ્ત્રોત વધારવા માટે શુભ માનવામાં આવે છે. આ જાતકના લોકો ધારણ કરી શકે છે - કોઈપણ જ્યોતિષીય સલાહ પછી, વૃષભ, મિથુન, કન્યા, તુલા, મકર અને કુંભ રાશિના લોકો જેડ સ્ટોન ધારણ કરી શકે છે.
ગ્રીન એવેન્ચ્યુરીન રત્નસ્ટોન
જેડ સ્ટોન ઉપરાંત અન્ય એક રત્ન વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધારવામાં મદદ કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વેપારીઓ માટે આ અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે. આ રત્ન ધારણ કરવાથી વ્યક્તિની આર્થિક સ્થિતિ સુધરે છે. અને આવકના નવા રસ્તા ખુલે છે. આ જાતકના લોકો ધારણ કરી શકે છે - ખાસ કરીને તુલા રાશિના જાતકો માટે લીલા એવેન્ચ્યુરીન રત્નને ફાયદાકારક માનવામાં આવ્યું છે.
ટાઇગર જેમસ્ટોન
રત્નશાસ્ત્રમાં આ રત્ન પોતાની અસર દર્શાવવા માટે સૌથી ઝડપી અને સકારાત્મક રત્ન માનવામાં આવે છે. તેને ધારણ કરવાથી વ્યક્તિની પોઝીટીવ ઇચ્છાશક્તિ વધે છે અને મુશ્કેલ સમયમાં તે યોગ્ય નિર્ણય લઈ શકે છે. એવું માનવામાં આવે છે કે તેને ધારણ કરવાથી વ્યક્તિનાં અટકેલા કામ પણ ગતિ ઉપાડી લે છે. આ જાતકના લોકો ધારણ કરી શકે છે - જો મિથુન રાશિના જાતકો દ્વારા આ રત્નને યોગ્ય રીતે ધારણ કરવામાં આવે તો તેમને શુભ ફળ જોવા મળે છે. આમ જોવા જઈએ તો આ રત્નો કોઈ પણ રાશિ ધારણ કરી શકે છે.