ધનતેરસ 2021ના દિવસે જો તમે પણ ખરીદી કરવાનું વિચારી રહ્યા છો, તો ખરીદી કરવા માટેનો શુભ સમય ચોક્કસપણે જાણી લો.
ધનતેરસના દિવસે ખરીદી કરવી શુભ માનવામાં આવે છે
આ દિવસે શુભ મૂર્હુતમાં જ કરવી ખરીદી
ધનતેરસની પૂજા કરવાથી વર્ષ દરમિયાન મળશે લાભ
ધનતેરસના દિવસે શુભ મુહૂર્તમાં ખરીદેલી વસ્તુઓ અઢળક લાભ આપે છે, સાથે જ આ દિવસે ખરીદી કરવાથી આખુ વર્ષ માતાના આશીર્વાદ મળે છે. આ વર્ષે ધનતેરસ 2જી નવેમ્બર 2021, મંગળવારના રોજ ઉજવવામાં આવશે. ધનતેરસના દિવસે દેવી લક્ષ્મી, ભગવાન ધનવંતરી અને કુબેરની પૂજા કરવામાં આવે છે.
ધનતેરસ પર આ વસ્તુઓની કરો ખરીદી
ધનતેરસના દિવસે સોના-ચાંદી, વાહનો, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેની ખરીદી કરવામાં આવે છે. આ સિવાય ધનતેરસના દિવસે ઝાડુ ખરીદીને તેની પૂજા કરવાથી ગરીબી દૂર થાય છે અને ઘરમાં અપાર સુખ-સમૃદ્ધિ આવે છે. આ દિવસે વાસણો ખરીદવાની પણ પરંપરા છે.
ક્યારે હોય છે ધનતેરસ
ધનતેરસ કારતક માસના કૃષ્ણ પક્ષની ત્રયોદશીના દિવસે ઉજવવામાં આવે છે. ધનતેરસના દિવસે, સૂર્યોદયથી સવારના 08:35 સુધી ખરીદી માટે શુભ સમય રહેશે. ધનતેરસ પર પુષ્કર અને સિદ્ધ યોગ હશે, જે ખૂબ જ શુભ છે. આ યોગમાં ખરીદી કરવી ખૂબ જ શુભ માનવામાં આવે છે.
જાણી લો મૂર્હુત
ચર લગ્ન - સવારે 8.46 થી 10.10 સુધી
અભિજીત મુહૂર્ત - રાત્રે 11.11 થી 11.56 સુધી
અમૃત મુહૂર્ત - બપોરે 11.33 થી 12.56 સુધી
શુભ યોગ - બપોરે 2.20 થી 3.43 સુધી
વૃષભ લગ્ન - સાંજે 6.18 PM થી 8.14 PM
ધનતેરસની પૂજા માટે સાંજે 06:00 થી 07:57 સુધીનો શુભ સમય રહેશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ઘરની દક્ષિણ દિશામાં તેલનો દીવો રાખવાથી અકાળ મૃત્યુનો ભય દૂર રહે છે.