આવતીકાલથી એટલે કે 13 નવેમ્બરથી ધનતેરસના તહેવારની ઉજવણી શરૂ થશે અને સાથે જ દિવાળીની. જો કે ધનતેરસના દિવસે કેટલીક ખાસ ચીજોની ખરીદીની પરંપરા રહી છે તો સાથે જ સાંજના સમયે ઘરની બહાર એક ખાસ દીવો કરવાની પણ પરંપરા છે.
ધનતેરસે કરો આ ખાસ ઉપાય
ઘરની બહાર જીવો કરવાથી યમરાજ થશે પ્રસન્ન
નહીં રહે અકાળ મૃત્યુનો ભય
એક એવી માન્યતા છે કે ધનતેરસના દિવસે ખરીદેલો સામાન ક્યારેય ખરાબ થતો નથી. આ સાથે જ તમે કેટલી પણ ખરીદી કરો પણ સાથે આ દિવસે યમ-દીપદાન કરવું જોઇએ.
સ્કંદ પુરાણમાં કહેવાયું છે કે ધનતેરસે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. આખા વર્ષમાં ધનતેરસ અને કાળી ચૌદશને મૃત્યુના દેવતા યમરાજની પૂજા દીપદાન કરીને જ કરવામાં આવે છે. આ દિવસે સાંજે યમરાજ માટે ઘરની દક્ષિણ દિશામાં દીવો પ્રગટાવવામાં આવે છે. આમ કરવાથી ઘરમાં રહેતાં લોકો ઉપર યમરાજ પ્રસન્ન થાય છે અને પરિવારના લોકોમાં અકાળ મૃત્યુનો ભય રહેતો નથી.
ગ્રંથોમાં ધનતેરસનું મહત્ત્વ ઉલ્લેખવામાં આવ્યું છેઃ-
1. कार्तिकस्यासिते पक्षे त्रयोदश्यां निशामुखे।
यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनिश्यति ।।
તેરસના દિવસે સંધ્યાકાળમાં ઘરની બહાપ યમદેવના ઉદેશ્યથી દીપ પ્રગટાવવાથી અપમૃત્યુને અટકાવી શકાય છે.
2. कार्तिकस्यासिते पक्षे त्रयोदश्यां तु पावके।
यमदीपं बहिर्दद्यादपमृत्युर्विनश्यति।।
આ સિવાય આ મંત્ર અનુસાર તેરસના દિવસે ઘરની બહાર યમરાજ માટે દીપ પ્રગટાવવો જોઇએ, જેથી અકાળ મૃત્યુનો નાશ થાય છે અને તમને લાંબું આયુષ્ય મળી રહે છે.