ધનતેરસનાં દિવસે ભગવાન ધન્વંતરિ અને ધનનાં દેવતા ભગવાન કુબેરદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે તુલા, સિંહ સહિત કેટલીક રાશિયો પર કુબેરદેવની કૃપા વરસી શકે છે જેના કારણે આર્થિક સ્થિતિઓમાં સુધાર આવી શકે છે.
ધનતેરસ અને દિવાળીના દિવસે થશે ધનલાભ
શનિદેવની રહેશે કૃપા
તુલા, સિંહ, મિથુન, મેષ રાશિના જાતકોને થશે લાભ
આ વર્ષે ધનતેરસનાં દિવસે શનિદેવની પણ કૃપા રહેશે જેના કારણે કેટલીક રાશિયોનો ભાગ્યોદય થઇ શકે છે. અને ધનલાભ થતાં આર્થિક સ્થિતિઓમાં પણ સુધાર શક્ય છે. આપણે સૌ જાણીએ છીએ કે ધનતેરસનાં દિવસે ધન્વંતરિ અને ભગવાન કુબેરની પૂજા કરવામાં આવે છે. આ પૂજાથી તમારાં જીવનમાં કોઇ દિવસ ધનનો અભાવ રહેતો નથી. હિન્દુ ધર્મમાં ધનતેરસ અને દિવાળી આ બંને તહેવાર અતિ મહત્વનાં અને શુભકારી માનવામાં આવે છે. અને આ દિવસોમાં શનિદેવની ચાલ બદલવાને લીધે તેનો પ્રભાવ પણ કેટલીક રાશિઓ પર પડી શકે છે જેના લીધે જાતકોને લાભ પણ મળી શકે છે.
ધનતેરસ આ રાશિઓ માટે હશે લાભદાયી મેષ
આ રાશિના જાતકો માટે નોકરી વેપારને લઇને સારાં સમાચાર મળી શકે છે અને સાથે જ વિદ્યાર્થીઓ માટે પણ પરીક્ષામાં સફળ થવાનાં સંકેતો મળે છે. ઘર-પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહેશે. શનિના ચલનથી દિવાળી પર મેષ રાશિનાં જાતકોને શુભ ફળો પ્રાપ્ત થશે.
મિથુન
મિથુન રાશિનાં લોકો પર ધનતેરસનાં પર્વે શનિદેવ અને કુબેરદેવની કૃપા વરસશે. નોકરી સાથે જોડાયેલાં લોકોને પ્રમોશન મળી શકે છે. આ સિવાય સેલેરીમાં વધારો કે વેપારમાં વૃદ્ધિ શક્ય છે. જીવનસાથી સાથે સમય અનૂકુળ રહેશે.
સિંહ
આ રાશિના જાતકોને દિવાળી પહેલાં આકસ્મિક ધનલાભ થશે. જો તમે ધનનાં સાધન કે સ્ત્રોત ભેગાં કરી રહ્યાં છો તો આ સમયે તમને તેમાં સફળતા મળશે એટલે કે ધનલાભ થશે. જો તમે કોઇ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યાં છો તો આ સમય યોગ્ય છે. આ સમયે કરેલ દરેક કાર્યમાં તમને શનિદેવની કૃપા જોવા મળશે.
તુલા
ધનતેરસ પર તુલા રાશિના જાતકોનું વાહન ખરીદવાનું સપનું સાચું પડશે. કરિયરમાં સફળતા પણ પ્રાપ્ત થશે અને આ સમયે તમારા માટે શુભ છે તેથી તમે તમારું લક્ષ્ય પણ સરળતાથી પૂરું કરી શકશો.