દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. આ દિવસે સોના-ચાંદી અને અન્ય ઘણી વસ્તુઓની ખરીદીને શુભ માનવામાં આવે છે. જાણો ધનતેરસે શોપિંગના શુભ મુહૂર્ત અને રાહુ કાળ વિશે.
ધનતેરસે રાહુ કાળમાં ન કરશો ખરીદી
જાણો, ધનતેરસે શોપિંગના શુભ મુહૂર્ત અને રાહુ કાળ વિશે
શુભ મુહૂર્તમાં કરવામાં આવેલી ખરીદી લાભકારી સિદ્ધ થાય છે
ધનતેરસનો દિવસ માં લક્ષ્મીની પૂજા અને ઉપાય માટે ખૂબ ખાસ
ધનતેરસનો દિવસ માં લક્ષ્મીની પૂજા અને ઉપાય માટે ખૂબ ખાસ હોય છે. આ દિવસે શોપિંગનુ પણ વિશેષ મહત્વ છે. ધનતેરસના દિવસે સોના-ચાંદી, વાસણ, ઘર, વાહન અને ઈલેક્ટ્રોનિક વસ્તુઓ વગેરેની ખરીદીને ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો મુજબ કોઈ પણ કામ જો શુભ મુહૂર્તમાં કરવામાં આવે તો લાભકારી સિદ્ધ થાય છે અને તેના સારા પરિણામ સામે આવે છે.
રાહુ કાળ દરમ્યાન ન કરો ખરીદી
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ વખતે ધનતેરસનો તહેવાર 23 ઓક્ટોબરે મનાવવામાં આવશે. દરરોજ થોડો સમય એવો હોય છે, જેને રાહુ કાળ કહેવામાં આવે છે. આ સમયમાં કરવામાં આવેલા કાર્યોમાં નિષ્ફળતા અને વિધ્નનો સામનો કરવો પડે છે. એવામાં ધનતેરસના દિવસે શોપિંગ માટે નિકળતી સમયે તેનુ શુભ મુહૂર્ત જાણી લો. કારણકે તમારી ખરીદવામાં આવેલી વસ્તુઓમાં 13 ગણો વધારો થાય.
ધનતેરસની તિથિ અને શુભ યોગ
મહત્વનું છે કે 22 ઓક્ટોબરની રાત્રે 6 વાગ્યાથી ત્રયોદશી તિથિ લાગી રહી છે, જે 23 ઓક્ટોબરે સાંજે 6 વાગ્યા સુધી રહેશે. એવામા 22 અને 23 બંને દિવસ ધનતેરસનો પર્વ મનાવવામાં આવશે. આજે સાંજે ધન્વંતરી દેવ અને યમ પૂજનના દીપદાન માટે 1-1 મુહૂર્ત છે. તો ખરીદી માટે આખો દિવસ શુભ જણાવવામાં આવી રહ્યો છે. ધનતેરસ પર દિવસમાં ત્રિપુષ્કર યોગ રહેશે. કહેવામાં આવે છે કે આ યોગમાં કરવામાં આવેલા કામમાં 3 ગણો વધારો થાય છે. જો આ દિવસે શુભ મુહૂર્તમાં કોઈ બિઝનેસની શરૂઆત કરવામાં આવે છે તો તેમાં ત્રણ ગણો વધારો થશે. તો 23 ઓક્ટોબરે આખો દિવસ સર્વાર્થ સિદ્ધી યોગ રહેશે. તેથી કોઈ પણ પ્રકારની ખરીદી, રોકાણ અને કોઈ પણ વસ્તુની નવી શરૂઆત માટે 23 ઓક્ટોબરનો દિવસ પણ ખાસ છે.