પ્રકાશના તહેવાર દિવાળીની શરૂઆત ધનતેરસથી થાય છે. લોકો આ દિવસે ખરીદીને શુભ માને છે, પરંતુ ખરીદી માટે પણ એક શુભ સમય હોય છે. ત્યારે ખરીદી કરવાથી તેનું શુભ ફળ મળે છે.
ધનતેરસથી થાય છે દિવાળીની શરૂઆત
આ દિવસે ખરીદી છે ખૂબ જ શુભ
પરંતુ આ શુભ મુહૂર્તમાં ખરીદી કરવાથી થશે ફાયદો
હિન્દુઓનો મુખ્ય તહેવાર દિવાળી 24 ઓક્ટોબર 2022ના રોજ ઉજવવામાં આવશે. ત્યારે ધનતેરસ 23 ઓક્ટોબરે છે. ધનતેરસ દર વર્ષે કારતક માસના કૃષ્ણ પક્ષની તેરસે ઉજવવામાં આવે છે. લોકો આ દિવસે ખરીદીને શુભ માને છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ખરીદી કરવાથી ધન અને ઐશ્વર્ય વધે છે અને ભગવાન કુબેર અને મા લક્ષ્મીની કૃપા રહે છે. ઘણા લોકો ધનતેરસ પર વાહન ખરીદવાનું આયોજન કરે છે. આવી સ્થિતિમાં એ સમજવું જરૂરી છે કે વાહન કયા સમયે ખરીદવું જોઈએ.
આખા દિવસમાં ગમેત્યારે ન કરો ખરીદી
ધનતેરસના દિવસે એટલે કે 23મી ઓક્ટોબરે આખો દિવસ શુભ હોય છે. આવી સ્થિતિમાં, તમે આ દિવસે કોઈપણ સમયે વાહન ખરીદી શકો છો. જો કે પંચાંગમાં જોઈને ખાતરી કરી લો કે તે સમયે રાહુકાળ નથી કારણ કે રાહુકાળ દરમિયાન કોઈ શુભ કાર્ય થતું નથી.
રાહુકાળમાં ન કરો ખરીદી
ધનતેરસના દિવસે રાહુકાળ સાંજના 4:30 થી 6:00 સુધી રહેશે. આવી સ્થિતિમાં જે લોકો આ દિવસે વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે તેમણે 4:30 પહેલા અથવા 6:00 પછી ગાડી ખરીદવી. અથવા આ દિવસે સોનું અથવા ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ મુહૂર્તમાં જ ખરીદવું.
ધનતેરસે કંઈક ખરીદી જરૂર કરો
ધનતેરસના દિવસે ખરીદી કરવી જોઈએ. કંઈ નહીં તો કમસેકમ વાસણોની ખરીદી તો કરવી જ જોઈએ, કારણ કે આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે.