કારતક મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીને ધનતેરસ કહેવામાં આવે છે. આ તહેવાર દિવાળી પહેલાં આવે છે. આ વર્ષે ધનતેરસનો તહેવાર 13 નવેમ્બરે ઉજવાશે. આ દિવસે લોકો સોના અને ચાંદીની ખરીદી કરે છે. માન્યતા છે કે આ દિવસે સોનું અને ચાંદી સિવાય વાસણોની ખરીદીથી ઘરમાં સંપન્નતા વધે છે. ભગવાન ધન્વંતરી અને ધનના દેવતા કુબેરની આ દિવસે ખાસ પૂજા કરાય છે.
13 નવેમ્બરે ઉજવાશે ધનતેરસનો તહેવાર
સોનું ચાંદી અને વાસણોની ખરીદી આ દિવસે રહેશે શુભ
ભગવાન ધન્વંતરી અને ધનના દેવતા કુબેરની થાય છે ખાસ પૂજા
ધનતેરસની પૂજાનું આ છે શુભ મૂહૂર્ત
ધનતેરસની પૂજા માટે શુભ મૂહૂર્ત સાંજે 5.20 મિનિટથી લઈને 5.59 મિનિટ સુધી રહેશે. આ દિવસે ભગવાન ધન્વંતરી અને ધનના દેવતા કુબેરની પૂજા કરાશે. ધન્વંતરીને ભગવાન વિષ્ણુના રૂપમાં માનવામાં આવે છે. જે હાથમાં અમૃત કળશ ધારણ કરેલા હોય છે. માન્યતા છે કે ધનતેરસના શુભ દિવસે સોનું, ચાંદી અને પીત્તળ કે અન્ય ધાતુનો સામાન ખરીદવામાં આવે છે.
ધનતેરસે આ સમયે ખરીદો સોનું
જો આ દિવસે સોનું ખરીદવા ઈચ્છો છો તો તેના માટે સવારે 6.42 મિનિટથી સાંજે 5.59 મિનિટ સુધીનો સમય શુભ રહેશે. સોનું ખરીદવા માટે તમારી પાસે કુલ 11 કલાક અને 16 મિનિટનો સમય છે. આ સમયે સોનું ખરીદવાથી શુભ કાર્ય સંપન્ન થાય છે. ઘરમાં સુખ શાંતિ રહે છે અને સમૃદ્ધિ પણ વધે છે.