જો તમે આવતીકાલે ધનતેરસના દિવસે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમને સોનાની શુદ્ધતાનો ખ્યાલ હોવો જોઈએ. નહીં તો તમે છેતરાઈ શકો છો. 14 કેરેટ 24 કેરેટ સોનાના ભાવની જાણકારી જરૂરી છે. બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ (BIS)ના અનુસાર સોનાની શુદ્ધતા તપાસવાની ખાસ રીત છે. જેનાથી તમે સોનું અસલી છે કે નકલી તે જાણી શકો છો. તો સોનું ખરીદતા એલર્ટ રહો તે જરૂરી છે.
સોનાની ખરીદીમાં રહો સાવધાન
સોનું ખરીદતી સમયે આ વાતોનું રાખો ધ્યાન
નાની ચૂક પણ કરી શકે છે મોટું નુકસાન
BIS કરે છે હોલમાર્ક
બીઆઈએસ હોસમાર્ક દેશમાં એકમાત્ર એજન્સી છે જે સોનાની શુદ્ધતાને તપાસવા માટે હોલમાર્કિંગ કરે છે. ભારતીય ગર્વમેન્ટની તરફથી સોનાની શુદ્ધતા તપાસવાનું કામ આ એજન્સી દ્વાકા કરાય છે. આજે પણ કેટલાક લોકો જાતે હોલમાર્કિંગ કરી લે છે. તમારે સોનું ખરીદતા તેનું હોલમાર્ક ચેક કરવું. જો તે BIS માર્કિંગ છે તો જ સોનું ખરીદો.
BISની વેબસાઈટના આધારે 3 રીતે હોલમાર્કિંગ કરાય છે
22K916: 22 કેરેટ સોના માટે
18K750: 18 કેરેટ સોના માટે
14K585: 14 કેરેટ સોના માટે
સોનું ખરીદતા પહેલાં આ રીતે કરો કિંમત ચેક
જ્યારે તમે સોનું ખરીદો છો તો તમારે તેની કિંમતો જાણી લેવી જરૂરી છે. તમે https://ibjarates.com/ પર જઈને લેટેસ્ટ રેટ ચેક કરી શકો છો. આ વેબસાઈટ પર આપવામાં આવેલા રેટમાં જીએસટી સામેલ હોતો નથી.
જ્વેલરી માટે થાય છે 22 કેરેટ ગોલ્ડનો ઉપયોગ
પ્યોર ગોલ્ડની જ્વેલરી 24 કેરેટની હોય છે. તેના આભૂષણ બનતા નથી. તે ખૂબ જ મુલાયમ હોય છે. આજના સમયમાં આભૂષણ બનાવવા માટે 22 કેરેટ ગોલ્ડનો ઉપયોગ કરાય છએ. તેમાં 91.66 ટકા સોનું હોય છે.
જ્વેલરીની ખરીદી બાદ બિલ લેવાનું ચૂકશો નહીં
આ સિવાય જો તમે ગોલ્ડની જ્વેલરીની ખરીદી કરી છે તો બિલ અચૂક માંગો. આ બિલમાં તમે સોનાની શુદ્ધતા અને રેટની જાણકારી મેળવી શકો છો. જો તમારી પાસે બિલ નથી તો તમે સોનું વેચતી સમયે ભાવ કરી શકશો નહીં.