5 દિવસ ચાલતી દિવાળીના મહાપર્વની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે 25 નવેમ્બરે ધનતેરસ અને 27 નવેમ્બરે મહાલક્ષ્મી એટલે કે દિવાળી ઊજવવામાં આવે છે. ધનતેરસના દિવસે ધનના દેવતા કુબેર અને ધન્વંતરિ ભગવાનની પૂજા કરવામાં આવે છે. આ દિવસનું ખૂબ વિશેષ મહત્વ હોય છે.
ધનતેરસના દિવસે પૂજા અને ઘરે દીવો પ્રગટાવવાથી વ્યક્તિને યશ, ધન અને વૈભવની પ્રાપ્તિ થાય છે. ધનતેરસ પર સાંદે દીવો પ્રગટાવવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર કહેવામાં આવે છે કે જે પણ વ્યક્તિ ધનતેરસના દિવસે સાંજે દીવો પ્રગટાવે છે એમની પર ભગવાન પ્રસન્ન થાય છે.
ધનતેરસ પર આવી રીતે કરો દીવો
ધનતેરસ પર સાંજે ઘરના મેન દરવાજા પર બહારની તરફ દીવો પ્રગટાવવો જોઇએ.
ધનતેરસ પર આ વાતનું ધ્યાન રાખવું જોઇએ કે સૂર્યાસ્ત થયા બાદ જ યમ ભગવાનનો દીવો પ્રગટાવો જોઇએ.