ધાંગધ્રાના મોટી માલવણ ખાતે પાસ કન્વીનર હાર્દિક પટેલની આગેવાનીમાં એક પાટીદાર મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં પાટીદાર સમાજના લોકો અને યુવાઓ ઉમટી પડયા હતા. માત્ર પાટીદાર આગેવાનો જ નહીં પરંતુ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના કોંગ્રેસના કાર્યકરો પણ મોટી સંખ્યામાં આ મહાપંચાયતમાં હાજર રહ્યા હતા.
આ મહાપંચાયતને સંબોધતા હાર્દિક પટેલે મોદી સરકારના ઠાલા વચનોને લઈને આકરા પ્રહારો કર્યા હતા.હાર્દિકે કહ્યું કે અનામત આંદોલન માત્ર ચૂંટણી પૂરતુ જ સિમિત ન હતું.આ સાથે હાર્દિકે પાટીદાર ધારાસભ્યોનો પણ ઉઘડો લીધો હતો અને વિપક્ષ નેતા પરેશ ધાનાણી પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
आरक्षण किसान और बेरोज़गारी के मुद्दे पर सरकार के ख़िलाफ़ आज सामाजिक न्याय महापंचायत में जुड़े हज़ारों की तादाद में लोग
भाजपा और कोंग्रेस के विधायकों को हमने आमंत्रित किया था लेकिन भाजपा का एक भी विधायक हाज़र नहीं रहा और जनता अदालत में दोषी साबित हुआ हैं। pic.twitter.com/WO7oEb5u9g
ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલ છેલ્લા કેટલાય સમયગાળાથી શાંત હતા અને આજથી તેમણે પાટીદાર મહાપંચાયતની શરૂઆત કરી છે જો કે આ મામલે હાર્દિકના એક સમયના જોડીદાર દિનેશ બાંભણીયાએ આક્ષેપ એક પત્ર લખીને દુ:ખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે હાર્દિક આ કાર્યક્રમો સ્વપ્રસિધ્ધિ માટે કરી રહ્યો છે.
આ સાથે તેમણે આરોપ લગાવ્યો હતો કે હાર્દિક પટેલ ભાજપનો ગુપ્ત મિત્ર છે. જો કે આ બાબતે હાર્દિક પટેલે કોઇ ખુલાસો કર્યો નથી પરંતુ આવનારો સમય જણાવશે કે સત્ય શું છે.