ધંધુકાની 8 વર્ષની બાળકીનું મેલેરિયાથી મોત થયા બાદ ખળભળાટ મચ્યો છે, સોલા સિવિલ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં બાળકોમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ઝાડા-ઉલટી, શરદી, તાવના કેસો નોંધાયા
અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળો વકર્યો
મેલેરિયાથી 8 વર્ષની બાળકીનું મૃત્યુ
સોલા સિવિલમાં બાળ દર્દીઓ વધ્યા
અમદાવાદમાં મચ્છરજન્ય રોગોના ભરડામાં બાળકો પણ શિકાર બની રહ્યા છે. મેલેરિયાથી સોલા સિવિલમાં બાળકીનું મોત નિપજ્યું છે. ધંધુકાની 8 વર્ષની બાળકીનું મેલેરિયાથી મોત થયા બાદ ખળભળાટ મચ્યો છે. તો ચોમાસાની સિઝનની શરૂઆતથી જ આરોગ્ય વિભાગ પણ સક્રિય બની જતું હોય છે. અને ઠેર-ઠેર ખાણી પીણી સહિત જાહેર રસ્તાઓ પર ચેકિંગ હાથ ધરવામાં આવે છે. મહત્વનું છે કે, પાણીજન્ય રોગ અને મલેરિયા સહિત, ડેન્ગ્યુ અને કોલેરા જેવા રોગ સામે આવ્યા છે.
વડોદરામાં પણ રોગચાળાનો વ્યાપ વધ્યો છે. જેને લઈ શહેરમાં એક દિવસમાં તાવના 826 કેસ નોંધાયા છે. તો ડેન્ગ્યૂના પણ 12 નવા કેસ આવ્યા છે. સાથે 11 બાંધકામ સાઈટ, 7 હોસ્ટેલ-સ્કૂલ મચ્છરની ઉત્પતિના સ્થાનના માલિકોને નોટિસ અપાઈ છે. દૂષિત પાણી અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો છે. છેલ્લા એક અઠવાડિયાના કેસમાં પણ વધારો જોવા મળ્યો છે. ખાસ તો ચોમાસામાં ડેન્ગ્યૂ, ચિકનગુનિયા, તાવ, ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યુના 5 અને ચિકનગુનિયાના 2 કેસ નોંધાયા છે. સાથે ઝાડા ઉલ્ટીના 119, તાવના 284, મેલેરિયાનો 1 કેસ નોંધાયો છે. જેમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. 8 દિવસમાં કમળો, ઝાડા ઉલ્ટી અને તાવના 1927 કેસ સામે આવ્યા છે. 12 હજાર 442 ઘરોમાં ફોગિંગ, 238 કન્સ્ટ્રકશન સાઈટોને નોટિસ અપાઈ છે.