જેહાદ ષડયંત્રને અંજામ આપવા માટે પાકિસ્તાન હાલ સ્લીપર સેલને એક્ટિવ કરી રહ્યું હોય તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલો
ગુજરાતમાં સ્લીપર સેલ એક્ટિવ હોવાની આશંકા
જેહાદ ષડયંત્રને અંજામ આપવાની તપાસ એજન્સીને શંકા
અમદાવાદના ધંધૂકામાં કિશન ભરવાડની હત્યાના ગુજરાતભરમાં પડઘા પડી રહ્યાં છે.આ કેસમાં પાકિસ્તાન કનેક્શનની સાથે સ્લીપર સેલ એક્ટિવ હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.ગુજરાતમાં જેહાદ ષડયંત્રને અંજામ આપવાની તપાસ એજન્સીને શંકા છે.તપાસ એજન્સી દ્વારા અમદાવાદના સંવેદનશીલ વિસ્તારમાં ડિજિટલ પ્લેટફોર્મ પર સર્ચ કરવામાં આવી રહ્યું છે.સોશિયલ મીડિયા મારફતે ડિજિટલ જેહાદનો પગ પેસારો થઇ રહ્યાંની શંકા છે.પાકિસ્તાનના મૌલાનાના ભડકાઉ ભાષણથી ગુજરાતના યુવાનોને ટાર્ગેટ કરી રહ્યાં છે.2008ના સિરિયલ બ્લાસ્ટ સમયે ગુજરાતમાં સ્લીપર સેલ એક્ટિવ હતા.
વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન સાંખી નહીં લેવાય: સી આર પાટીલ
સમગ્ર મામલે ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે ચેતવણી આપતા કહ્યું છે કે ગુજરાતમાં આવી કોઇ ઘટના ચલાવી લેવાય નહીં, કેટલાક લોકો વાતાવરણ ડહોળવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. સરકાર આવી ઘટનાઓ સાખી નહીં લે ગૃહ રાજ્યમંત્રી કડક પગલા લઇ રહ્યાં છે.
અશાંતધારાની માંગ ઉઠી
ધંધુકામાં કિશન ભરવાડની હત્યાનો મામલે VTV NEWS દ્વારા કરવામાં આવેલ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ધંધુકાના લોકોએ અશાંત ધારાની માંગ ઉચ્ચારી છે, આ સાથે જ તેમણે જણાવ્યું હતું કે, છેલ્લા 10 વર્ષમાં ધંધુકામાં 700થી વધુ હિંદુઓએ મકાન વેચ્યા છે. વચલી ફળી, મોઢવાળા પોળ, લીંબડી ફળી તથા સુથારવાડા, ખાંડાચોરામાં અશાંત ધારાની માગણી કરી છે. નોંધનીય છે કે, હિન્દુ મકાન માલિકો ધંધુકામાં મકાન વેચીને નીકળી ગયા છે. તો કેટલીક જગ્યાએ પંરાપરાગત નવરાત્રીના ગરબા પણ બંધ થયા હતા.
કિશન શહીદ કરતા ઓછો ન કહેવાય: કંગના
કિશન ભરવાડની હત્યા આયોજનબદ્ધ રીતે કરવામાં આવી છે. મૌલવી દ્વારા આયોજનબદ્ધ રીતે તેની હત્યા કરવામાં આવી છે. જેથી સરકારે હત્યારાઓ સામે કડકમાં કડક પગલા લેવા જોઈએ. વધુમાં કંગનાએ એવું પણ કીધું છે કે મૃતક કિશનની ઉંમર 27 વર્ષની હતી અને તેને એક નાની દિકરી પણ છે. તેણે જે પોસ્ટ સોશિયલ મીડિયા પર કરી હતી તે પોસ્ટમાં તેને માફી માગવાનું કહેવામાં આવ્યું હતું તેણે તેમ કર્યું પરંતુ તેમ છતા તેની ઘાતકી હત્યા કરવામાં આવી. જેથી તે શહીદ કરતા ઓછો ન કહેવાય. કિશનની વિધવાને પેન્શન મળવું જોઈએ.