ધંધુકા કિશન ભરવાડ હત્યા કેસમાં અત્યાર સુધી આરોપી શબ્બીર, ઇમ્તિયાસ અને મૌલવી મોહમદ અયુબ જાવરવાલા એમ કુલ 3ની ધરપકડ કરવામાં આવી છે.
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે નવો વીડિયો આવ્યો સામે
કિશન ભરવાડ નામના યુવકનો માફી માગતો વીડિયો આવ્યો સામે
કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં માગી માફી
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલે નવો વીડિયો સામે આવ્યો છે. જેમાં હાલમાં મૃતક કિશન ભરવાડ નામના યુવક તેણે કરેલી વિવાદિત પોસ્ટ મામલે માફી માગતો વીડીયો શેર કરે છે. કિશન ભરવાડે સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાઈ હોય તો માફી માગુ છું તેવું નિવેદન પણ કર્યું હતું. વિવાદ અને ફરિયાદ થતા કિશન ભરવાડે માગી હતી માફી
વીડિયોમાં શું કહ્યું હતું કિશન ભરવાડે?
સોશિયલ મીડિયામાં 10 સેકન્ડનો વીડિયો જાહેર કરી કહ્યું હતું કે જે ફેસબુકમાં મૈ વિડીયો અપલોડ કરેલો તેનાથી કોઈ સમાજની લાગણી દુભાઈ હોય તો હું માફી માગું છું. અને દિલગીર પણ છું.
જમાલપુરના મૌલાના મોહમદ અયુબ જાવરવાલાની ધરપકડ કરાઈ: SP વિરેન્દ્રસિંહ યાદવ
અમદાવાદ જિલ્લાના ધંધૂકા ખાતે કિશન ભરવાડ નામના યુવાનની હત્યા કરવામાં આવી હતી.આ મામલે પોલીસે આરોપી શબ્બીર અને ઇમ્તિયાસની ધરપકડ કરી છે.જમાલપુરના મૌલવી મોહમદ અયુબ જાવરવાલાની પણ ધરપકડ કરવામાં આવી છે.ત્યારે શબ્બીર અને ઇમ્તિયાસની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે.મૃતક કિશને ધાર્મિક લાગણી દુભાય તેવી પોસ્ટ કરી હતી.જો કે કિશનની વિવાદિત પોસ્ટને લઇને સમાધાન થયું છતાં આરોપીએ સમાધાનને માન્ય રાખ્યું ન હતું.
મુંબઈના મૌલવીએ જમાલપુરમાં રહેતા મૌલવી આયુબને મળવાનું કહ્યું હતું: અમદાવાદ ગ્રામ્ય SP વિરેન્દ્રસિંહ યાદવ
આરોપીએ પોસ્ટ ધ્યાનમાં રાખીને કિશનની હત્યાનું કાવતરૂ ઘડ્યું હતું.શબ્બીરે ફાયરિંગ કર્યુ હતું અને ઇમ્તિયાસ બાઇક ચલાવતો હતો.આપને જણાવી દઈએ કે, શબ્બીર નામના આરોપીના વિચારો જેહાદી પ્રકારના છે.આરોપી શબ્બીર મુંબઈના એક મૌલવીને મળ્યો હતો.જે દરમિયાન મુંબઈના મૌલવીએ જમાલપુરમાં રહેતા મૌલવી આયુબને મળવા કહ્યું હતું.ત્યારબાદ શબ્બીરે મૌલવી સાથે મુલાકાત કરીને હથિયાર માગ્યા હતા.આથી મૌલવી આયુબે શબ્બીરને હથિયાર આપ્યું હતું.હાલ આ સમગ્ર મામલે પોલીસે આરોપી શબ્બીર, તેના મિત્ર ઇમ્તિયાસ અને મૌલવી મોહમદ અયુબ જાવરવાલાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આરોપીઓના રિમાન્ડ મંજૂર
ધંધુકામાં ગોળીબારમાં યુવકની હત્યાનો મામલે આરોપી શબ્બીર ચોપડા, ઈમ્તિયાઝ પઠાણને કોર્ટેમાં રજૂ કરાયા હતા. પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જેની સામે કોર્ટે 2 આરોપીના કોર્ટે 9 દિવસના રિમાન્ડ કર્યા મંજુર
યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી સામાન્ય વ્યક્તિ નથી: ગૃહરાજ્ય મંત્રી
વધુમાં મુદ્દા પર પ્રકાશ પાડતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું હતું કે અલગ અલગ પાસા પર તપાસ કરવામા આવી છે. આ હત્યા એક કોન્સ્પીરેસી છે. બે યુવાનોને અમે પકડી લીધા છે પણ યુવકોને રિવોલ્વર આપનાર મૌલવી સામાન્ય વ્યક્તિ નથી. અમદાવાદ જિલ્લા પોલીસે મૌલવીને પડક્યા છે. મૌલવીએ યુવાનોને રિવોલ્વર અને પાંચ કારતૂસ આપ્યા છે. તેમજ હત્યારાઓ કેવી રીતે પ્રેરિત થયા તેની માહિતી મેળવવામાં આવી છે.
રાજ્યમાં વિરોધનો વંટોળ, હત્યારાઓ સામે કડક કાર્યવાહીની માગ
સુરતમાં વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગ દળ દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને સમગ્ર ઘટના મામલે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવા રજૂઆત કરી હતી.તો નવસારીમાં પણ વિરોધ જોવા મળ્યો હતો.નવસારી હિન્દુ સંગઠન દ્વારા રેલી યોજીને વિરોધ કરાયો હતો.આ રેલીમાં મોટી સંખ્યામાં સ્થાનિકો જોડાયા હતા અને જિલ્લાના વિવિધ સંગઠનોએ કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.તો ધંધુકામાં યુવકની હત્યાને લઇ સુરેન્દ્રનગર બંધનું એલાન આપવામાં આવ્યું હતું.હિન્દુ સંગઠનો દ્વારા બંધના એલાનની જાહેરાત કરવામાં આવી હતી.જો કે બજારો બંધ રહેતા પોલીસે વેપારીઓને ધંધા-રોજગાર શરૂ કરવા અપીલ કરી હતી.પોલીસે અપીલ કરતા બજારો ખુલી હતી.પરંતુ કેટલાક વેપારીઓએ દુકાનો સ્વૈચ્છિક બંધ રાખતા મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો હતો.