`દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી છે'
`મૌલાના કમરગનીએ ગુજરાતના અનેક શહેરોની મુલાકાત લીધી હતી'
ધંધૂકામાં કિશન ભરવાડ નામના યુવાનની હત્યાના ગુજરાતભરમાં પડઘા પડી રહ્યાં છે. જો કે હવે આ કેસના તાર ધંધૂકાથી અમદાવાદ થઈને મુંબઈ અને દિલ્હી સુધી પહોંચ્યા છે. આ કેસમાં અત્યાર સુધીમાં શબ્બીર, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમરગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. મૌલાનાને દિલ્લીથી અમદાવાદ ATS લાવામાં આવ્યો છે. મૌલાના કમરગની ધરપકડથી મોટા ખુલાસા થઈ શકે છે.
આસિફ સમાં નામના વ્યક્તિએ મૌલવીના કહેવાથી હથિયાર આપ્યા
ઘટનાની તપાસ પર પ્રકાશ પાળતા ATSના SP ઈમ્તિયાઝ શેખે કહ્યું હતું કે દિલ્લીના મૌલાના કમર ગની ઉસ્માનીની ધરપકડ કરવામાં આવી છે. મૌલાનાએ કમર ગનીએ ગુજરાતના અનેક શહેરોની મુલાકાત લીધી હતી. આરોપી શબ્બિર ચોપડા, ઇમ્તિયાઝની ધરપકડ બાદ તેમણે મૌલાનાના નામ કબૂલયા હતા. હત્યા કરવાની દૂષપ્રેરણા અને હથિયાર પણ જમાલપુરના મૌલવી એયુબે આપ્યા હતા. આ મૌલાના અયુબ રાજકોટના આસિફ સમાં નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતા અને ત્યાંથી હથિયાર લાવી શબ્બિરને આપ્યા હતા.
પેગંબર વિષે ગમે તે બોલે છે તેની એક જ સજા છે મોત: મૌલવી એયુબે આરોપીને કહેલી વાત
આરોપી શબ્બિર ચોપડા મૌલવી કમરગની ઉસ્માની જે તહેરીકે ફરોકે ઇસ્લામી નામનું સંગઠન ચલાવે છે જે તેના કાર્યો અને ઘર્મને લઈ ઈન્સ્ટાગ્રામ પેજ પર અપડેટ આપે છે. એક પોસ્ટ દ્વારા આરોપી શબ્બિર ચોપડા કમરગનીથી પ્રેરિત થયો હતો અને તે મળવા દિલ્હી પણ ગયો હતો જ્યાં તેણે વિવાદિત પોસ્ટ વિષે જણાવી આરોપીને શબખ શીખવાડવા માંગતો હોવાની વાત કહી હતી. કમરગનીએ તેણે આ માટે મૌલવી એયુબેને મળવાનું કહ્યું હતું તે મદદ કરશે તેવી વાત કરી હતી. મુલાકાત દરમિયાન આરોપીને મૌલવી એયુબે કહ્યું હતું કે જો કોઈ પેગંબર વિષે ગમે તે બોલે છે તેની એક જ સજા છે મોત.. આમ આરોપીને ઉશ્કેરી હત્યા માટે પ્રેરિત કર્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
અન્ય 1 હત્યાનો હતો પ્લાન
આ સિવાય પોરબંદરમાં પણ 2021ના મે મહિનામાં સાજન નામના યુવકે પેગંબર નામે વિવાદિત પોસ્ટ કરી હતી. તેની પણ હત્યાનું કાવતરું કર્યું હતુ અને હત્યાના ઈરાદે ખૂદ મૌલવી એયુબ પોરબંદર ગયો હતો પણ અને રેકી કરી હતી. પણ ત્યાં મળ્યો ન હોવાથી આરોપી મૌલવી એયુબ પરત ફર્યો હતો. એટલે 1 નહીં પણ 2 હત્યા કરવાનો પ્લાન હતો પણ એક સફળ રહ્યો ન હતો.
શૂટર તરીકે કર્યો આરોપીનો ઉપયોગ
પત્રકાર દ્વારા પ્રશ્ન પણ કરવામાં આવ્યો હતો કે શું આ મૌલનાઓ શબ્બિર ચોપડા નો શૂટર તરીકે ઉપયોગ કરતાં હતા તે બાબતે ઈમ્તિયાઝ શેખ, SP - ATSએ જવાબ આપતા કહ્યું હતું કે હા હાલ જેટલી તપાસ થઈ તે પરથી કહી શકાય..