કિશનની હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો. આ કેસમાં બે આરોપીને 9 દિવસના રિમાન્ડ પર મોકલવાની સાથે અમદાવાદના એક મૌલવીને પણ પકડી લેવામાં આવ્યો છે
ધંધુકાના કિશન ભરવાડની હત્યા કેસમાં તપાસ તેજ
વધુ લોકોની સંડોવણી અંગે તપાસ હાથ ધરાઈ
અન્ય 6 મૌલવીઓ ષડયંત્રમાં સંકળાયેલા હોવાની પૂરી શકયતા
જામનગરમાં પણ એક યુવકની હત્યાનો પ્લાન બનાવ્યો હતો
ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં તપાસ તેજ
ધંધુકા ખાતે ગત મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું.ઘટના બાદ પોલીસે હત્યા કેસની તપાસ તેજ કરી છે. પોલીસને આશંકા છે કે, આ હત્યા કેસમાં છ જેટલા મૌલવીઓની સંકળાયેલા હોવાની પૂરી શક્યતાં છે. તપાસ દરમિયાન પોલીસને એવી જાણકારી પણ મળી છે કે, જામનગરમાં પણ એક યુવકનું મર્ડર કરવાનો પ્લાન હતો.
શબ્બીર મૃતક કિશન ભરવાડની 5 દિવસથી રેકી કરતો હતો.
અમદાવાદના ધંધુકામાં ગત મંગળવારે કિશન ભરવાડની હત્યા કરાઇ હતી. જેમાં પોલીસે બુધવારે શબ્બીર અને ઈમ્તિયાઝની ધરપકડ કરી હતી. જ્યારે શનિવારે મુખ્ય સૂત્રધાર મૌલવી ઐયુબની પણ ધરપકડ કરવામાં આવી હતી. મૌલવી ઐયુબની ધરપકડ બાદ પૂછપરછમાં ચોંકાવાનારા ખુલાસા થયા હતાં. જેમાં મૌલવીએ કિશનની હત્યા માટે શબ્બીરને કહ્યું હતું. તેમજ મૌલવીએ આરોપીઓને હથિયાર પહોંચાડ્યા હતાં. આ હત્યાનો પ્લાન જમાલપુર મસ્જીદમાં બનાવ્યો હતો. શબ્બીર અને મૌલવી મસ્જીદ હત્યા બબાતે ચર્ચા કરતા હતાં. તેમજ ઘટનાને અંજામ આપતાં પહેલા શબ્બીર મૃતક કિશન ભરવાડની 5 દિવસથી રેકી કરતો હતો.
કિશન હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે
કિશન હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન આવ્યું સામે આવ્યું છે. પોલીસની પુછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે, મૌલાનાના તાર પાકિસ્તાન સ્થિત સંગઠનો સાથે જોડાયેલા છે. આ હત્યા માટે અલગ અલગ સંગઠનો જવાબદાર છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં જેહાદી કટ્ટરવાદી એજન્ડા પર કામ કરતા સંગઠનોની સંડોવણી દિલ્લીના મૌલવી કમલ ઘની ઉસ્માનીનું નામ પણ આવ્યું સામે આવ્યું છે. શબ્બીર કમલ ઘની ઉસ્માની સાથે સો.મીડિયાથી સંપર્કમાં હતો. શબ્બીર ચૌપડાની મુલાકાત અમદાવાદના મૌલવી સાથે કરાવી હતી
કિશનની હત્યા કેસના તાર રાજકોટ સાથે જોડાયા
પોલીસની પુછપરછ દરમિયાન આ હત્યામાં રાજકોટના વ્યક્તિએ હથિયાર પુરા પાડ્યા હોવાનો ખુલાસો કર્યો હતો. જેને પગલે રાજકોટ SOGએ મિતાણા ગામ પાસેથી અજીમ સમા નામના આરોપીની ધરપકડ કરી છે. આ આરોપીએ મૌલાનાને હથિયાર મોકલાવ્યાં હતા. ઉલ્લેખનીય છે કે, SOGએ આરોપીને ATSને સોંપ્યો છે. સાંજે મોરબીની બી ડિવિઝન પોલીસે અજીમના ભાઈ વસીમને પકડી પાડ્યો હતો.
આરોપીઓએ કિશનની પોસ્ટ ધ્યાનમાં રાખી કર્યું ફાયરિંગ
અમદાવાદના ધંધુકામાં સોશિયલ મિડીયામાં વિવાદીત ધાર્મિક પોસ્ટના કારણે કિશન ભરવાડ ભારે વિવાદ સર્જાયો હતો. જેના પગલે આરોપીઓએ કિશનને સબક શીખવાડવા માંગતા હતા. જેથી તેમણે કિશનની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. મોકો મળતાની સાથે જ શબ્બીર અને ઈમ્તિઆઝે બાઈક પર સવાર થઈ બંદૂક લઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. જ્યાં કિશનને એકલો જોઈ શબ્બીર નામના યુવકે ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર ઘટના દરમિયાન બાઈક ઈમ્તિઆઝ ચલાવતો હતો અને શબ્બીરે ફાયરિંગ કર્યું હતું.
સમગ્ર ઘટના શું હતી ?
ધંધુકા ખાતે ગત મંગળવારે મોડી રાત્રે કિશન ભરવાડ નામનો યુવક જુના ઘર પાસેથી પસાર થતો હતો. ત્યારે બે અજાણ્યાં શખસોએ આવીને ફાયરિંગ કર્યું હતું. જેમાં એક મિસ ફાયર થયું હતું અને બીજી ગોળી વાગતા કિશનનું હોસ્પિટલમાં લઈ જતા જ મોત થયું હતું. ઘટનાને પગલે માલધારી સમાજમાં રોષ ફેલાયો હતો.