લોકસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરેલીમાં સભા સંબોધી હતી. આ સભાને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બીજેપી પર કટાક્ષ કરતાં કહ્યું કે, કોંગ્રેસને અમરેલીમાં હરાવવા માટે ભાજપે પોતાની ફોજ ઉતારી છે. ભાજપ અમરેલી બેઠકને જીતવા માટે માટે તાકાત લગાવી રહી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, પાંડવોની નાની સેના માટે કૌરવોની સેના છે.