લોકસભાની ચૂંટણીને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમરેલીમાં સભા સંબોધી હતી. આ સભાને લઈને વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પ્રતિક્રિયા આપી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ બીજેપી પર કટાક્ષ કરતાં કહ્યું કે, કોંગ્રેસને અમરેલીમાં હરાવવા માટે ભાજપે પોતાની ફોજ ઉતારી છે. ભાજપ અમરેલી બેઠકને જીતવા માટે માટે તાકાત લગાવી રહી છે. સાથે જ તેમણે જણાવ્યુ કે, પાંડવોની નાની સેના માટે કૌરવોની સેના છે.
મોદી સામે પલટવાર કરતાં પરેશ ધાનાણીએ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, 'ગોળા ફેંકવાનું મશીન આજે ગુજરાતમા આવ્યું છે. અમરેલીમાં આગ લગાડવાનો નિરર્થક પ્રયાસ કરતા પ્રધાનમંત્રીએ આઠ હજાર જેટલી જંગી જાહેર સભા સંબોધી હતી.
ધાનાણીએ વધુમાં કહ્યું કે, અમરેલીના લોકોમાં ભારતીય જનતા પાર્ટીનો જનાઘાર ઘટતો જાય છે. દિવથી લઈને દિલ્હી સુધી ભાજપનો સફાયો થશે. ભાજપનું ખાતુ ક્યાંય નહીં ખુલ્લે તેવી સ્થિતી હવે ઉભી થઈ છે. ગુજરાતના મુખ્યમંત્રી હતા. ત્યારેથી આજ સુધી હજુ ગામડાઓમાં ક્યાંય સરળ સસ્તુ શિક્ષણ મળતું નથી, શાળાઓ શિક્ષક નથી, દવાખાનામાં ડોક્ટર નથી. ખેતરનો સેઢે નર્મદાનાં નીર નથી. ઘરમાં પીવાના પાણી નથી. અમરેલીની જતના કહે છે ઠાલા ભાષણો સાંભળી હવે ભવ બગડી ગયો. મુર્ખ હશે તે જ મોદીને મત આપશે. જે મોદી સાહેબ જાણે છે
આ સાથે જ ધાનાણી કહ્યું કે આવતી લોકસભાની ચૂંટણી બાદ મોદી નવરા થવા જઈ રહ્યાં છે. જેથી ગુજરાતમાં પોતાની સુરક્ષિત જગ્યા શોધવા માટે વારંવાર ગુજરાતના આંટાફેરા વધી રહ્યાં છે. સ્મૃતી ઈરાની અને યોગીની સભાઓ ગોઠવાઈ છે. હાર ભારેલી સરકાર આખા દેશને રેઢો મુકીને અમરેલીમાં પડ્યાં છે.