'સૈરાટ'ની હિન્દી રીમેક ફિલ્મ 'ધડક' 20 જુલાઈના રોજ રીલિઝ થવાની છે. આ ફિલ્મની સ્ટોરી વિષે તો ટ્રેલર પરથી અંદાજો આવી જ જાય છે પરંતુ લોકોમાં સૌથી વધારે આતુરતા એ જાણવાની છે કે શું આ ફિલ્મનો ક્લાઈમેક્સ પણ સૈરાટની જેમ જ ટ્રેજડી વાળો હશે? જોકે આ વાતનો જવાબ ફિલ્મ રિલીઝ પછી જ મળ્યો હોત પરંતુ જ તેનો ખુલાસો એક જાહ્નવી કરી દીધો છે.
જાહ્નવી કપૂર કહ્યુ કે ''આ ફિલ્મમાં ઉદયપુરના શાહી પરિવારની દિકરીનો રોલ કરી રહી છે. ધડક કોઈ સામાન્ય બૉલિવૂડની જેમ નથી જેમાં કડવા સત્યને છુપાવી લેવામાં આવે છે.'' જાહ્નવીએ કહ્યું કે ''ધડક બૉલિવૂડની મસાલા ફિલ્મ નથી જેમાં એન્ડમાં માતા-પિતા માની જાય છે અથવા ફિલ્મનો અંત શાનદાર હોય છે. ફિલ્મમાં રિયલ લાઈફના સત્યને બતાવવામાં આવ્યું છે.''
ઉલ્લેખનીય છે કે મરાઠી ફિલ્મ સૈરાટનો ક્લાઈમેક્સ ચર્ચાનો વિષય બન્યો હતો. લોકોને તે ફિલ્મ અત્યંત પસંદ આવી હતી. આ ફિલ્મથી જાહ્નવી કપૂર અને ઇશાન ખટ્ટર બોલિવુડમાં ડેબ્યૂ કરશે. હવે આ ફિલ્મમાં શું નવું હશે અને જાહ્નવી અને ઈશાન લોકોનાં દિલ જીતવામાં સફળ થશે કે નહીં તે જોવાનું છે.