ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ પર લાગેલા આક્ષેપોને લઈને ધનજીએ નિવેદન આપ્યુ તેણે જણાવ્યું કે, મને ગામમાંથી કોઇએ ભગાડ્યો નથી પરંતુ મે સ્વેચ્છાએ ગામ છોડ્યું છે. તેમજ મે મે વરદાયિની માતા પર કોઇ ટિપ્પણી કરી નથી. જે આક્ષેપો લગાવે છે તે મારી સામે આવે. તેમજ એક વર્ષમાં મારા 2 લાખ અનુયાયીઓ થયા છે અને લોકો આંધળી શ્રદ્વા રાખે તો જ ભગવાન મળે. આ ઉપરાંત મીડિયા સામે લૂલો બચાવ કરતા તેણે કહ્યું કે,હું લોકોને વડીલોની મર્યાદા રાખવાનું શીખવું છું અને હું મારા નામના દીવો કે અગરબત્તી કરવાનું કહેતો નથી...લોકો પોતાના મનથી મારી પાસે આવે છે.