ધનજી ઓડના અમદાવાદ ખાતેના ચાંદખેડામાં આવેલા મકાન મામલે ખુલાસો કરવામાં આવ્યો છે. ધનજી ઓડની પત્નીના નામથી મકાનનો કરાર કરવામાં આવ્યો છે. યાદવ સુશીલકુમાર આ બંગલાના માલિક છે.
11 મહિનાનાં કોન્ટ્રાક્ટથી ભાડે રાખ્યું મકાન
ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડને લઇ વધુ એક પર્દાફાશ થયો છે. ઢબુડી માતાને લઇને વધુ એક ખુલાસો વીટીવી પર સામે આવ્યો છે. ઢબુડી માતા ઉર્ફે ધનજી ઓડ અમદાવાદમાં ચાંદખેડામાં ભાડાનાં મકાનમાં રહે છે. ધનજી ઓડે માર્ચ 2019થી ચાંદખેડામાં મકાન ભાડે રાખ્યું હતું. 11 મહિનાનાં કોન્ટ્રાક્ટથી આ મકાન ભાડે રાખ્યું હતું.
દર મહિને ચૂકવાય છે 36 હજાર ભાડું
મહત્વનું છે કે ઢબુડી માતા (Dhabudi mata) ઉર્ફે ધનજી ઓડને આ મકાન ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવી છે. મકાન માલિકે VTVનાં અહેવાલ બાદ ધનજી ઓડને નોટિસ આપી છે. આ મકાનનું દર મહિને તે 36 હજાર ભાડુ ચૂકવે છે.
ઢબુડી માતાનું 'મન્નત' જેવું મકાન
ઉલ્લેખનીય છે કે ગાંધીનગરના રૂપાલમાં રહેતાં ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાનો અંધશ્રદ્ધા ફેલાવીને લાખો રૂપિયા લુટતાં હોવાનો પર્દાફાશ થયો છે. સોમવારનાં રોજ સવારથી જ ચર્ચામાં આવેલા ઢબુડી માતાના વીડિયો બાદ VTVની ટીમ જ્યારે અમદાવાદ ખાતે આવેલા ઢબુડી માતાના નિવાસ સ્થાને પહોંચી હતી ત્યારે શહેરનાં ચાંદખેડા વિસ્તારમાં આવેલું વૈભવી મકાન જોઇને સૌ કોઇ આશ્ચર્યમાં મૂકાઇ ગયા હતાં.
ઢબુડી માતાનાં ભક્તે આપેલું નિવેદન
VTVની ટીમ જ્યારે અમદાવાદ ખાતે આવેલા ધનજી ઓડ ઉર્ફે ઢબુડી માતાના વૈભવી નિવાસ સ્થાને પહોંચી હતી ત્યારે આસપાસમાં રહેતા ઢબુડી માતાનાં એક ભક્તે એવું નિવેદન આપ્યું હતું કે, 'માતા પર લાગેલા આક્ષેપો તદ્દન પાયા વિહોણા છે. માતાનાં પરચા અપરંપાર છે. માતા કહે જ છે કે, 1 હજાર લોકોમાંથી 700 લોકોનાં કામ થાય જ છે. ઢબુડી માતા પર લાગેલા આ આરોપો સદંતર ખોટા છે.'